ટોપ ન્યૂઝનેશનલ

વડા પ્રધાન મોદીનો હુંકાર બ્રહ્માંડની કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં

નવી દિલ્હી: :છેલ્લા ઘણા સમયથી કલમ 370 પર ચર્ચાઓ ચાલી રહી છે ક્યારેક પાકિસ્તાન યુએનમાં રજૂઆત કરે છે કે તે ક્યારેક વિપક્ષો હોબાળો કરે છે આ તમામ ચર્ચાઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એ હકીકતને મંજૂરી આપી દીધી છે કે એક દેશમાં બે કાયદા ચાલી શકે નહીં.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કોઈપણ રાજનીતિ કરતાં કલમ 370 હટાવવાનું વધુ મહત્ત્વપૂર્ણ હતું. લોકોના વિકાસ અને તેમના જીવનને સરળ બનાવવા માટે કલમ 370 નાબૂદ કરવી જરૂરી હતી. પરિવારના કેટલાક સભ્યોએ પોતાના રાજકીય હિતોના કારણે તેને કબજે કરી લીધો હતો. જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો ન તો કોઈના સ્વાર્થી રાજકારણનો હિસ્સો છે અને ન તો ક્યારેય બનવા ઈચ્છે છે.

દેશના દરેક નાગરિકની જેમ તે પણ ભૂતકાળની મુશ્કેલીઓને દૂર કરીને પોતાના બાળકો અને વર્તમાનના ભવિષ્યને કોઈપણ ભેદભાવ વિના સુરક્ષિત કરવા માંગે છે.

આ ઉપરાંત વડા પ્રધાને જણાવ્યું હતું કે કલમ 370 પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને ઘણા બદલાઈ ગયા છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં કોઈ આતંકવાદીઓ નથી, હવે પ્રવાસીઓનો મેળો છે. ત્યાં કોઈ પથ્થરમારો નથી, તેના બદલે ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. સામાન્ય કાશ્મીરી પરિવાર તેને પસંદ કરી રહ્યો છે. આજે પણ જે લોકો રાજકીય હિતમાં આર્ટિકલ 370 વિશે ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે હવે બ્રહ્માંડની કોઈ તાકાત કલમ 370ને પાછી લાવી શકશે નહીં.


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અનુચ્છેદ 370ને અસ્થાયી જોગવાઈ તરાકે જણાવી હતી. તેથી જ સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ સંસદમાં બિલ પસાર કરીને કલમ 370 રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દરેક વિપક્ષના નેતાઓના મોઢે તાળા વાગી ગયા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવાનો પણ આદેશ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ