ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ પ્રધાનો પાસે શા માટે માંગ્યા Action Plan?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ (Lok Sabha Election 2024)ની જાહેરાત અંગે હવે તમામ પાર્ટી સાથે આમ જનતા પણ રાહ જોઈ રહી છે ત્યારે સત્તાધારી પાર્ટી પણ હરકતમાં આવી ગઇ છે. આજે પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં કયા પ્રધાન રિપિટ થશે કે નહીં એની ચિંતા કરશો નહિ પણ પોતાના એકશન પ્લાન મોકલે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં પ્રધાનો પાસેથી આગામી 5 વર્ષનો એક્શન પ્લાન માંગ્યો છે અને પીએમ મોદીએ તેના અંગે પ્રધાનોના આઈડિયા, એક્શન પ્લાન અને રોડમેપ મોકલવાનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, પ્રધાનો પાસેથી 100 દિવસનો પ્લાન પણ માંગવામાં આવ્યો છે.


જોકે, આગામી મહિને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. આ પહેલા પણ પીએમ મોદી પણ એક્શનમાં આવી ગયા છે, જ્યારે 400 સીટ સાથે ફરી એકવાર સત્તામાં આવવાનો દાવો પણ કરે છે.


ચૂંટણીની જાહેરાત પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) દરેક મામલે વિપક્ષ પર ધ્યાન રાખવાની રણનીતિ અપનાવી રહી છે. આ અંગે રાજકીય વર્તુળોએ કહ્યું છે કે તાજેતરમાં પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં પ્રધાનો પાસેથી તેમની યોજના માંગી છે.


પીએમ મોદી યોજનાઓને લાગુ કરવાને લઈને ખૂબ જ સાવચેત છે. તેથી તમામ પ્રધાનો પાસેથી તેમના એક્શન પ્લાન માગ્યા છે. પીએમ મોદીએ બેઠકમાં તમામ પ્રધાનોને તેમની યોજના વહેલી તકે મોકલવાની સ્પષ્ટ સૂચના આપી છે. સૂત્રોએ જણાવ્યું કે કયા પ્રધાનોને રિપીટ કરવામાં આવશે અને કોને નહીં તે અંગે વિચાર્યા વિના એક્શન પ્લાન કેબિનેટ સચિવાલયને મોકલવાં અનુરોધ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?