નેશનલ

મનરેગાનો અમલ બિહારમાં કેમ આટલો નબળો: કૉંગ્રેસનો વડા પ્રધાનને સવાલ

નવી દિલ્હી: કૉંગ્રેસે શનિવારે એવો દાવો કર્યો હતો કે બિહારમાં જ્યારે ભાજપ સત્તા પર હોય છે ત્યારે મહત્ત્વની મનરેગા યોજનાનો અમલ નબળો થઈ જાય છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવો સવાલ કર્યો હતો કે રાજ્યમાં મનરેગાનો અમલ કેમ નબળો હોય છે?

કૉંગ્ર્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે બિહારના બક્સર અને કારાકટ ખાતેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલાં કેટલાક મહત્ત્વના સવાલ ઉપસ્થિત કર્યા હતા.

બક્સરમાં કેમ અનેક આવશ્યક પ્રોજેક્ટ અધુરા પડ્યા છે? કેમ ચૌસાના ખેડૂતો ભાજપના વિરોધમાં 500થી વધુ દિવસથી આંદોલન કરી રહ્યા છે? કેમ મનરેગાનો અમલ બિહારમાં આટલો નબળો છે? એવા સવાલ જયરામ રમેશે કર્યા હતા.
કૉંગ્રેસના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે 2015માં વિદાય થઈ રહેલા વડા પ્રધાને (નરેન્દ્ર મોદી) બિહારના લોકોને 1.25 લાખ કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી અને આમાંથી રૂ. 54,713 કરોડ તો રસ્તા અને બ્રિજના પ્રોજેક્ટ માટે હતા.
સંખ્યાબંધ રાષ્ટ્રીય હાઈવે, ગંગા નદી પરના બ્રિજ, 12 રેલવે ઓવરબ્રિજ બાંધવાના હતા.

રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 44માંથી 27 નેશનલ હાઈવે અધૂરા છે. જ્યારે બાકીના 17 હાઈવેના તો ડીપીઆર (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) પણ હજી મળ્યા નથી. આ ઉપરાંત ભાગલપુરમાં વિક્રમશિલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીની હજી સુધી એકેય ઈંટ મૂકવામાં આવી નથી, એમ જયરામ રમેશે કહ્યું હતું.
યુપીએ દ્વારા જેના સમજુતીના કરાર થયા હતા તે બક્સર થર્મલ પ્લાન્ટને પણ અભેરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે, એવો દાવો તેમણે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આટલા મોટા વાયદા કર્યા બાદ વિદાય થઈ રહેલા વડા પ્રધાને કેમ બિહારના લોકોની બેશરમીથી અવગણના કરી હતી?

બેરોજગાર યુવાનો માટે મનરેગા લાઈફલાઈન સમાન હોય છે, પરંતુ જ્યારે જ્યારે ભાજપની સરકાર સત્તામાં આવે છે ત્યારે આ યોજના યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી. મનરેગામાં 2023-24 માટે 225 મિલિયન માનવ કલાકોની શ્રમ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના બજેટ કરતાં 25 મિલિયન માનવ કલાક ઓછા છે. દરેક ઘરને સરેરાશ મળતા રોજગારમાં 47.16 કલાકથી ઘટીને 43.85 જેટલું ઘટી ગયું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો