નેશનલ

નિયમોના ઉલંઘન બદલ ઝીરોધાના નીતિન કામથને દંડ ફટકારવામાં આવ્યો! જાણો શું છે મામલો

મુંબઈ: નિયમોના ઉલંઘન બદલ ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઝીરોધા (Zerodha) સામે પગલા ભરવામાં આવ્યા છે. એક અહેવાલ મીડિયા અહેવાલ મુજબ ઝીરોધા કંપનીના ફાઉંડર નિતિન કામથ (Nithin Kamath) સહીત કંપનીના ઘણા પદાધિકારીઓ પર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. મંત્રાલયે નિર્ધારિત સમયની અંદર ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO)ની નિમણૂક ન કરવા બદલ ઝીરોધા એસેટ મેનેજમેન્ટ(Zerodha AMC) ના તમામ ડિરેક્ટરોને દંડ ફટકાર્યો છે.

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે 31 જુલાઈએ આ આદેશ બહાર પડ્યો હતો. આદેશ મુજબ, ઝેરોધાએ એએમસીએ કંપની એક્ટ, 2013ની કલમ 203નું ઉલ્લંઘન કર્યું છે. આ કદાય મુજબ અંતર્ગત 10 કરોડ રૂપિયાથી વધુની પેડ અપ કેપિટલ ધરાવતી કંપનીઓએ CFOના પદ પર કાયમી નિમણૂક કરવી જરૂરી છે. પરંતુ, ઝીરોધા કંપની સીએફઓ વિના કામ કરી રહી હતી.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંપની રેગ્યુલેટરે ઝીરોધા એએમસી પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત કંપનીના સંસ્થાપક નીતિન કામથ પર 4.08 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ઝીરોધાએ માર્ચ 2023માં ચિંતન ભટ્ટને કંપનીના CFO તરીકે નિયુક્ત કર્યા હતા. તે પહેલા તે કંપની એક્ટનું પાલન કરતી ન હતી. આ વિલંબના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે કંપનીના સીએફઓનું પદ 20 ડિસેમ્બર, 2021થી 23 માર્ચ, 2023 સુધી એટલે કે 459 દિવસ સુધી ખાલી હતું. ઝેરોધા અને તેના અધિકારીઓને દંડ ભરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના ડાયરેક્ટર પોતાના પૈસામાંથી જ દંડ ભરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી