ટોપ ન્યૂઝનેશનલ

Uttrakhand ના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…

નવી દિલ્હી : ઉત્તરાખંડના(Uttrakhand)ચમોલી જિલ્લાના માણા ગામ નજીક શુક્રવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પર એક વિશાળ હિમપ્રપાત થયો. આ અકસ્માતમાં કુલ 54 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.પરંતુ 8 કામદારોના મોત થયા હતા. રવિવારે બચાવ ટીમે છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ પણ શોધી કાઢ્યો. આ બચાવ ટીમ આધુનિક ટેકનોલોજી અને હવાઈ સહાયનો ઉપયોગ કરીને સતત શોધખોળમાં રોકાયેલી હતી.

Also read : ઉત્તરાખંડ હિમ પ્રપાતમાં 46 કામદારોને સુરક્ષિત બહાર કઢાયા, ચારના મોત, પાંચ લાપતા…

46 કામદારો સુરક્ષિત 8 ના મોત

માણા હિમપ્રપાતમાં કુલ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 8 કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. આ બચાવ કામગીરીના ત્રીજા દિવસે બચાવ એજન્સીઓએ છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

હવામાન એક મોટો અવરોધ બન્યો

આ હિમપ્રપાતની ઘટના બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે ભારે હિમવર્ષા અને વરસાદને કારણે બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો હતો. જેના કારણે રાતોરાત કામગીરી અટકાવવી પડી હતી. જોકે, રવિવારે હવામાન સાફ થયા બાદ એજન્સીઓએ છેલ્લા મજૂરને શોધવાના પ્રયાસો ફરી શરૂ કર્યા હતા.

200 થી વધુ બચાવ કાર્યકરો તૈનાત

ભારતીય સેના, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP),સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF),બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી હતી. આ ઉચ્ચ-તીવ્રતાવાળા બચાવ કાર્યમાં 200 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બચાવ કામગીરીમાં મદદ કરવા માટે સ્નિફર ડોગ્સ પણ ચમોલીથી મોકલવામાં આવ્યા હતા.

ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન

આ દુર્ઘટનામાં ફસાયેલા કામદારની શોધમાં મદદ કરવા માટે માણા ખાતે ડ્રોન આધારિત ઇન્ટેલિજન્ટ બરીડ ઓબ્જેક્ટ ડિટેક્શન (DIBOD)સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી હતી. આ સિસ્ટમનો ઉપયોગ અગાઉ વાયનાડમાં પૃથ્વીની સપાટી નીચે માનવ હાજરી શોધવા માટે કરવામાં આવી હતી. રાહત ટીમોએ દિલ્હીથી મેળવેલા વિક્ટિમ લોકેટિંગ કેમેરા (VLC),થર્મલ ઇમેજિંગ કેમેરા, ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર (GPR) અને હિમપ્રપાત બચાવ ડોગ્સની મદદ લીધી.

Also read : પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા, જાણો ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન

કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ આપી

જ્યારે આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના સ્થળનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને રાહત ટીમોની પ્રશંસા કરી. તેમણે અધિકારીઓને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ રાખવા નિર્દેશ આપ્યો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button