સોનમ-રાજાના કેસ વચ્ચે આવી ઘટના પણ બને છેઃ બૉયફ્રેન્ડે આ રીતે નિભાવ્યો વાયદો

મહારાજગંજ, ઉત્તર પ્રદેશ: પ્રેમ એક પવિત્ર લાગણી છે, અત્યારે સાચો પ્રેમ મળવો ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં અનેક એવી ઘટનાઓ બની છે. જેણે પ્રેમ શબ્દને કલંકિત કર્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવી ઘટના બની છે, જેણે ફરી સાબિત કર્યું છે કે, પ્રેમ ખરેખર સાચો અને પવિત્ર હોય છે. ઘણાં લોકો પ્રેમમાં એકબીજાની હત્યા કરી દેતા હોય છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ વિસ્તારમાં આવી ઘટના બની છે, જ્યા સાચો અને પવિત્ર પ્રેમ જોવા મળ્યો છે. અહીં એક યુવકે પોતાની પ્રેમિકા સાથે તેના મોત પછી પણ લગ્ન કર્યાં છે. યુવતીના મૃતદેહ સાથે યુવકી લગ્ન કર્યા અને તેને સુહાગણની રીતે અંતિમ વિદાય આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કળિયુગમાં પણ જોવા મળી સાચી પ્રેમ કહાણી
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, યુવક નિચલૌલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે ગુજરાન માટે દુકાન ચલાવતો હતો. આ દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. જે મકાનમાં યુવક રહેતો હતો તે મકાનના માલિકની છોકરી સાથે જ તેને પ્રેમ થઈ જાય છે, પરંતુ પરિવાર આ સંબંધથી નારાજ હોય છે. જો કે, બાદ બન્નેના લગ્ન માટે મંજૂરી આપી દે છે. બન્ને પ્રેમી પંખીડાઓ હવે લગ્નનું સ્વપ્ન જોઈ રહ્યાં હતાં પરંતુ તેમાં યુવતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
પ્રેમિકા સાથે લગ્ન કરી યુવતે પોતાનું વચન નિભાવ્યું!
પોતાના પ્રેમિકાએ આત્મહત્યા કરી હોવાની વાત યુવકને જાણ થઈ તેની સાથે જ આવી પહોંચ્યો. યુવકે આવીને પરિવાર સામે એક અજીવ વાત કરી હતી. યુવકે કહ્યું કે, મારે તેની સાથે લગ્ન કરવા છે, મેં તેને વચન આપ્યું હતું. અમે સાથે જીવવાનું વચન આપ્યું હતું. પરંતુ તે શક્ય બન્યું નથી. તો હવે તેની અંતિમ યાત્રા સુહાગણની રીત જ નીકળશે. પરિવારે આ માટે ખૂબ જ વિચાર કર્યો અને બાદમાં આ લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી.
આ પણ વાંચો - રાજા રઘુવંશી મર્ડર કેસઃ લેટેસ્ટ અપડેટ
યુવકે પ્રેમિકાની માંગમાં સિંદૂર પૂરીને લગ્ન કર્યા હતાં
પંડિતે રડતી આખે મંત્રો દ્વારા પ્રેમિકાના મૃતદેહ સાથે યુવકના લગ્ન કરાવ્યાં હતા. યુવકે પ્રેમિકાની માંગમાં સિંદૂર પૂરીને લગ્ન કર્યા હતાં. આ દ્રશ્ય ખૂબ જ ભાવુક હતા. ત્યા હાજર દરેક લોકોની આંખો રડી રહી હતી. આ ઘટનાના વીડિયા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. યુવતીએ શા માટે આત્મહત્યા કરી તેની પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ કર્યાં બાદ મૃતદેહનો પરિવારને સોંપવામાં આવ્યો હતો.