નેશનલ

મમતા કુલકર્ણીએ પાકિસ્તાન સાથે કનેક્શન અંગે શું કહ્યું, જાણો નવું સિક્રેટ…

નવી દિલ્હીઃ બોલીવુડમાં વિવાદાસ્પદ અભિનેત્રી તરીકે જાણીતી મમતા કુલકર્ણી હવે સાધ્વી બની ગઈ છે. ત્યારથી અભિનેત્રી તેના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં તેણે પાકિસ્તાન અને મુસ્લિમો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. મમતા કુલકર્ણીએ કહ્યું કે ‘પાકિસ્તાનથી તેને દરરોજ 50 પત્રો આવતા હતા.’

તાજેતરમાં મમતા કુલકર્ણી દિલ્હી પહોંચી હતી. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે મને મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે. તેમણે પણ મને ઘણો પ્રેમ આપ્યો છે. ખાસ કરીને દુબઈમાં ત્યાં 25 વર્ષ સુધી મારી આધ્યાત્મિક સાધના ચાલી હતી. આ સમય દરમિયાન મને ત્યાં ઘણી શાંતિ અને પ્રેમ મળ્યો હતો.

મમતા કુલકર્ણીએ આગળ કહ્યું, ‘જ્યારે હું બોલીવુડ સુપરસ્ટાર હતી, ત્યારે મને પાકિસ્તાનથી દરરોજ 50 પત્રો આવતા હતા. મારા મનમાં મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે, પણ મને આતંકવાદીઓ પ્રત્યે કોઈ પ્રેમ નથી.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મમતા કુલકર્ણી આ નિવેદનની હવે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

મમતા કુલકર્ણી વિશે વાત કરીએ તો અભિનેત્રીએ હિન્દી સિનેમાની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા વર્ષો સુધી સિનેમાથી દૂર રહી. હવે અભિનેત્રી સાધ્વી બની ગઈ છે. 24 જાન્યુઆરી 2025ના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લઈને સાધ્વી બનવાનો નિર્ણય લીધો હતો.

આપણ વાંચો : ટોપલેસ ફોટોશૂટ વખતે મમતા કુલકર્ણી હતી ફક્ત આટલા જ વર્ષની…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button