Lok Sabha Election Result:મતગણતરી પૂર્વે જ ભાજપે બેઠક કરી બનાવ્યો આ પ્લાન
![BJP confident of victory in Loksabha election, mega plan of celebration ready](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Yogesh-2024-06-03T105853.811.jpg)
નવી દિલ્હી: મતદાન બાદ મતગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે ભાજપે તમામ મતગણતરી કેન્દ્રો પર સાવચેતી રાખવાનો નિર્ણય કર્યો છે. એક્ઝિટ પોલના પરિણામોને વિપક્ષે નકારી કાઢ્યા પછી ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના મહાસચિવ અને સચિવ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે મત ગણતરી દરમિયાન કોઈપણ શંકાસ્પદ પ્રવૃતિની જાણ થાય તરત જ પક્ષના વરિષ્ઠ અધિકારીઓને કરવી જોઈએ. વરિષ્ઠ અધિકારીઓ પણ આવી ફરિયાદોને ધ્યાનમાં લેશે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેશે.
ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે બેઠકમાં સાત તબક્કામાં યોજાયેલ મતદાન અને તેની પેટર્નની સમીક્ષા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બેઠકમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પરિણામોને નકારવામાં આવતા પક્ષની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.