નેશનલ

Himachal ના લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટ્યું, રસ્તાઓ બંધ, પ્રવાસીઓ ફસાયા

શિમલા : હિમાચલ(Himachal)પ્રદેશમાં ભારે વરસાદ બાદ કુદરતનો કહેર યથાવત છે. લાહૌલ-સ્પીતિમાં ફરી એકવાર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. માને ડાંગ અને શિચલિંગ ગામમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વાદળ ફાટવાને કારણે લોકોને ઘણી મુશ્કેલી પડી છે. લોકોને રોજબરોજની વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડે છે. વાદળ ફાટવાને કારણે અનેક રસ્તાઓ ખોરવાઈ ગયા છે. રાહદારીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળે છે. જેના લીધે પ્રવાસીઓ પણ ફસાયા છે અને કેવી રીતે પરત ફરશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

સમગ્ર વિસ્તાર કાટમાળથી ઢંકાઈ ગયો

માહિતી અનુસાર, લાહૌલ-સ્પીતિમાં NH-505 પર માને ડાંગ અને શિચિલિંગની પહાડીઓમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે અહીં વહેતા નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઘરો, ખેતરો અને દુકાનો બધે જ પાણીથી ભરાઈ ગયા છે. સ્પીતિના સગનમ ગામમાં ઘણી જગ્યાએ પથ્થરો વિખરાયેલા જોવા મળે છે. આસપાસનો સમગ્ર વિસ્તાર કાટમાળથી ઢંકાયેલો દેખાય છે.

આ પણ વાંચો : Himachal Flood: હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટતા ભારે નુકશાન, 35 લાપતા

લાહૌલ સ્પીતિ પર પ્રકૃતિના કહેરથી સ્થાનિક લોકો ખૂબ જ ચિંતિત છે. તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા છે
તમને જણાવી દઈએ કે હિમાચલમાં વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 50થી વધુ લોકો હજુ પણ ગુમ છે. લોકોની શોધખોળ ચાલુ છે. ડ્રોન કેમેરાની મદદથી ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.

NDRF,SDRF,પોલીસ અને મેડિકલ ટીમ બચાવ કામગીરી માટે હાજર છે. અસરગ્રસ્તોને ખોરાક અને પાણી સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં આવી રહી છે. તેમની મદદ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

રુદ્રપ્રયાગ અને તેની આસપાસ બચાવ કામગીરી ચાલુ

જ્યારે બીજી તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ ખીણમાં પાંચ દિવસ પહેલા ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેની બાદ ત્યાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે. સોમવારે પાંચમા દિવસે પણ રુદ્રપ્રયાગ અને તેની આસપાસ બચાવ કામગીરી ચાલુ છે.

ઘાટીમાં હવામાન સાફ રહ્યું હતું

સોમવારે પણ ઘાટીમાં હવામાન સાફ રહ્યું હતું. જેના કારણે હેલિકોપ્ટરની મદદ બચાવકાર્યમાં ઘણી મદદ કરી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રુદ્રપ્રયાગમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ દરેક અધિકારીઓ પાસેથી દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન 100 વર્ષ બાદ આટલી બદલાઈ જશે Indian Railway, ફોટો જોઈને ચોંકી ઉઠશો ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે?