નેશનલ

‘ભારતની સંસદ અમારા નિશાના પર’ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી

કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યા છે. દિલ્હીના ISBT વિસ્તારમાં પન્નુએ ફ્લાયઓવરની દીવાલો પર અને કેટલીક અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા છે. સાથે જ એક વીડિયો જાહેર કરીને તેણે ભારતમાં આતંકી હુમલાની પણ ધમકી આપી છે.

ઉત્તર દિલ્હી પોલીસે કાશ્મીરી ગેટ પર ખાલિસ્તાનના સમર્થનમાં લખેલા સૂત્રોચ્ચારના મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. બુધવાર, 27 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે ઉત્તર દિલ્હીને ઉત્તર પૂર્વથી જોડતા કાશ્મીરી ગેટ ફ્લાયઓવરની નીચે અને કેટલીક જગ્યાએ દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે. આ સૂત્રો પેઇન્ટ કરીને ભૂંસી દેવામાં આવ્યા છે. પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી પુન્નુએ દિલ્હીમાં લખેલા આ સૂત્રો અંગેનો એક વીડિયો શેસોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ધમકી પણ આપી હતી કે દેશની સંસદ નિશાના પર છે અને અમે અમદાવાદની મેચને નિશાન બનાવીશું.
પન્નુ દ્વારા જારી કરાયેલા નવા વીડિયોમાં તેણે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે, જેની તાજેતરમાં કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યાને બાબતે ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. અમેરિકાએ પણ આ હત્યાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પન્નુએ 15 ઓગસ્ટના રોજ અને જી-20 સમિટના થોડા દિવસો પહેલા દિલ્હીના મેટ્રો સ્ટેશનોની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. સ્પેશિયલ સેલ દ્વારા બંને કેસનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે ફરી પન્નુએ આવું જ કૃત્ય કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત