નેશનલ

કાશ્મીરની ‘વંદે ભારત ટ્રેન’માં આવી હશે સિક્યોરિટી, જાણો શું હશે વ્યવસ્થા?

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં દેશના તમામ રાજ્ય માટે વંદે ભારત ટ્રેન દોડાવી છે, ત્યારે આ વખતે વધુ એક રાજ્યને વંદે ભારત ટ્રેનથી જોડવામાં આવ્યું છે, પરંતુ આ ટ્રેનની ખાસિયત એ હશે કે પ્રવાસીઓની સુરક્ષા માટે સજ્જ હશે કમાન્ડો. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે કટરાથી શ્રીનગર સુધીનું અંતર માત્ર 3 કલાકમાં જ પૂરું કરશે. સડક માર્ગેથી આટલું અંતર કાપતા 6 કલાકથી 7 કલાક લાગતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચિનાબ બ્રિજ અને અંજની પુલનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બનાવી હતી. આ ટ્રેનમાં ઓનબોર્ડ મુસાફરોની સુરક્ષા માટે સ્પેશિયલ ટ્રેન્ડ કમાન્ડ તહેનાત કરવામાં આવ્યા છે.

ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંકનો હિસ્સો
આ નિર્ણય તાજેતરમાં થયેલા આતંકી હુમલા અને સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યો છે. 6 જૂન, 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાથી શ્રીનગર વચ્ચે પ્રથમ વંદ ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રેલ સેવા શરૂઆત કરાવી હતી. જે 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંકનો હિસ્સો છે.

કમાન્ડો અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે
પહલગામ હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને જોતાં આ વંદે ભારત ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દરેક કોચમાં બે-બે સ્પેશિયલ કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા છે. આ કમાન્ડો અત્યાધુનિક હથિયારો, બુલેટ પ્રુફ જેકેટ, હેલમેટ તથા અન્ય હાઈટેક ગેજેટ્સથી સજ્જ છે. મુસાફરો કોઈપણ જાતના ડર વગર મુસાફરી કરી શકે તે માટે આમ કરવામાં આવ્યું છે.

અગાઉ સુરક્ષના વ્યવસ્થાનો કર્યો હતો અભ્યાસ
16 એપ્રિલ, 2025ના રોજ એનએસજીએ જમ્મુ-કાશ્મીર પોલીસ અન આરપીએફ સાથે મળીને કટરા રેલવે સ્ટેશન પર એક ટ્રેન સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. એનએસજીની આ પહેલ રેલવે અને સ્થાનિક પોલીસ સાથે મળીને સંભવિત આતંકી ગતિવિધિને રોકવાનો છે.

વંદે ભારત માઈનસ 20 ડિગ્રીમાં દોડાવી શકાશે
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ટ્રેન હિમાલયની મુશ્કેલ પરિસ્થિતિઓ જેવી કે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સારી રીતે ચાલી શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓટોમેટિક દરવાજા, હીટિંગ સિસ્ટમ અને એન્ટી સ્પૉલ લેયર જેવી હાઈ ટેક સુવિધાઓ છે. સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેનમાં મુસાફરોની તપાસ અને અન્ય સુરક્ષા પ્રોટોકોલ પણ લાગુ કરવામાં આવ્યા છે.

રેલવે બોર્ડની આ પહેલથી માત્ર પ્રવાસન જ નહીં વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે. સુરક્ષાને પ્રાથમિકતા આપીને રેલવે અને સુરક્ષા એજન્સીઓ દર સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

આપણ વાંચો : જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button