ટોપ ન્યૂઝનેશનલ

Jayalalithaa ની જપ્ત કરાયેલી સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ, સોનાની તલવાર અને મુકુટ પણ સામેલ…

નવી દિલ્હી : તમિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે જયલલિતા(Jayalalithaa)પાસેથી જપ્ત કરાયેલી અપ્રમાણસર સંપત્તિ હવે રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ જપ્ત કરાયેલી મિલકતોમાં 27 કિલો સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. જેમાં બે સોનાના મુગટ અને એક સોનાની તલવારનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ 21 વર્ષથી કર્ણાટક સરકારના ખજાનામાં રાખવામાં આવી હતી અને હવે શુક્રવારે તેને સત્તાવાર રીતે તમિલનાડુ સરકારને સોંપવામાં આવી છે.

આ અંગે બેંગલુરુની એક ખાસ સીબીઆઈ કોર્ટે જયલલિતાની સંપત્તિ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સીબીઆઈ કોર્ટે બુધવારે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જે જયલલિતાની જપ્ત કરાયેલી બધી સંપત્તિ તમિલનાડુ સરકારને ટ્રાન્સફર કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

સોનાની તલવાર અને સોનાનો મુગટ પણ સામેલ

X

બેંગલુરુ કોર્ટના આદેશના એક દિવસ પછી શુક્રવારે જપ્ત કરાયેલી મિલકતો સત્તાવાર રીતે રાજ્ય સરકારને ટ્રાન્સફર કરવામાં આવી હતી. કર્ણાટક સત્તાવાળાઓ દ્વારા તમિલનાડુને સોંપવામાં આવેલી વૈભવી વસ્તુઓમાં સોનાની તલવાર અને સોનાનો મુગટનો સમાવેશ થાય છે. આ યાદીમાં રહેલી વસ્તુઓમાં શરીર પર મોરપીંછની રચના સાથેનો સોનેરી કમરપટો પણ સામેલ છે.

1526 એકર જમીન સંબંધિત દસ્તાવેજો

કર્ણાટક સત્તાવાળાઓ પાસે જયલલિતાની જપ્ત કરાયેલી સંપત્તિનો મોટો ખજાનો હતો. તેમાં 27 કિલો 558 ગ્રામ સોનાના દાગીના, 1,116 કિલો ચાંદી અને 1,526 એકર જમીન સંબંધિત દસ્તાવેજો હતા. આ બધો ખજાનો કર્ણાટક વિધાનસભાના ખજાનામાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને કોર્ટ અને સરકારી અધિકારીઓની હાજરીમાં તેને સોંપવામાં આવ્યો હતો

આવકથી વધુ સંપત્તિના કેસમાં જયલલિતા દોષિત

ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીએ કર્ણાટક હાઈકોર્ટે જયલલિતાના ભત્રીજા જે દીપક અને ભત્રીજી જે દીપાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમણે જયલલિતાના કાયદેસર વારસદાર તરીકે મિલકતનો દાવો કર્યો હતો. જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

વારસદારોની દલીલ ફગાવી દેવામાં આવી

વર્ષ 2016માં હાઈકોર્ટે જયલલિતાના મૃત્યુ પછી તેમની મિલકતો જપ્ત કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો, જોકે તેમની સામેની કાર્યવાહી પૂરી થઈ ગઈ હતી. તેમના વારસદારોએ દલીલ કરી હતી કે જયલલિતા સામેનો કેસ પૂરો થયા પછી તેમની મિલકત જપ્ત ન થવી જોઈએ. જોકે, હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે સર્વોચ્ચ અદાલતે અન્ય આરોપીઓને દોષિત ઠેરવવાના ખાસ અદાલતના ચુકાદાને સમર્થન આપ્યું હોવાથી મિલકતની જપ્તી માન્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button