નેશનલ

‘રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવી જોઈએ’

બક્સર ટ્રેન દુર્ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે બિહારના બક્સરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આવી દુર્ઘટના પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. ખડગેએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “બિહારના બક્સરમાં નવી દિલ્હીથી આસામ જતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાના સમાચાર અત્યંત દુઃખદાયક છે.

આ ભયાનક દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.” તેમણે કહ્યું હતું કે, “અમે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. કોંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પીડિતોને તમામ શક્ય મદદ કરે.”

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “જૂન 2023 ના બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી આ બીજો મોટો પાટા પરથી ઉતરી જવાનો અકસ્માત છે. રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. બુધવારે રાત્રે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો