નેશનલ

ચારેય શંકરાચાર્ય ન જાય તે વાત ખોટી, અમુક જઇ પણ રહ્યા છે: બાબા રામદેવ

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચારેય શંકરાચાર્યએ હાજરી આપવાનો ઇનકાર કર દીધો છે તેવા અહેવાલો વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અલગ-અલગ શંકરાચાર્યોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે, પરંતુ ચારેય શંકરાચાર્ય નથી જવાના તે સમાચાર સાચા નથી.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે,”ચારેય શંકરાચાર્યોના અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે પરંતુ એ વાત સાચી નથી કે ચારેય શંકરાચાર્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી નહિ આપે. કેટલાક શંકરાચાર્ય જઈ રહ્યા છે અને કેટલાક નથી જઇ રહ્યા.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નિર્માણાધીન રામમંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સમારોહ માટે ભારત અને વિદેશમાંથી ઘણા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જેના અંતર્ગત ચારેય શંકરાચાર્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચારેય જણાએ એવું કહીને આમંત્રણ નકારી કાઢ્યું હતું કે મંદિરનું બાંધકામ હજી પૂરું થયું નથી અને આવી સ્થિતિમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ શાસ્ત્રોની વિરુદ્ધ છે, પરંતુ હવે તેમના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી ગયો છે. જ્યોતિષ અને ગોવર્ધન પીઠના શંકરાચાર્ય આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે શૃંગેરી મઠના શંકરાચાર્યએ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું.

શનિવારે તમિલનાડુમાં કાંચીપુરમ કાંચી કામકોટી મઠના શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે ઉદ્ઘાટન સમારોહને સમર્થન આપતા જાહેરાત કરી હતી કે આ વિશેષ પ્રસંગે કાશીના યજ્ઞશાળા મંદિરમાં કામકોટી પીઠ દ્વારા 40 દિવસીય પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પીએમ સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને સંકુલોના વિકાસ પર ભાર આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો