વંદે માતરમ્ અને આતંકવાદ પર મૌલાના મહેમૂદ મદનીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહેમૂદ મદનીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ‘જિહાદ’ શબ્દના સાચા અર્થને સ્પષ્ટ કરવાનો દાવો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે આ શબ્દના વાસ્તવિક અર્થને લઈને સમાજમાં અમુક ગેરસમજણો અને ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. મદનીના મતે, જિહાદના અનેક અર્થો છે, જેમાં સૌથી મોટો જિહાદ પોતાના લક્ષ્ય પ્રત્યે સ્પષ્ટ દૃષ્ટિકોણ રાખવો અને વ્યક્તિગત ચારિત્ર્ય સુધારવા માટે કામ કરવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અન્યાય સામે અવાજ ઉઠાવવો પણ જિહાદ છે. આ ઇન્ટરવ્યુમાં તેમણે વંદે માતરમની ફરજિયાતકરણની વાતથી લઈને દેશના વર્તમાન સંજોગો સુધીના અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો.
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વિશેના પ્રશ્નનો જવાબ આપતા જમિયત પ્રમુખ મદનીએ કહ્યું કે, તેને ફરજિયાત બનાવવું એ ‘આઇડિયા ઓફ ઇન્ડિયા’ (ભારતનો વિચાર) નથી. તેણે કહ્યું કે તેનું સંગઠન આ અંગે 2011 થી ચર્ચા કરી રહ્યું છે અને જો સરકાર તેને ફરજિયાત બનાવશે, તો તેઓ આ વિચારને કોર્ટમાં પડકારવા માટે પણ તૈયાર છે. મદનીએ ભારપૂર્વક જણાવ્યું કે, આતંકવાદીઓએ ઇસ્લામિક શબ્દોનો ખોટી રીતે ઉપયોગ કરીને ગેરસમજ ઊભી કરી છે. તેણે આતંકવાદીઓને ‘ફસાદી’ ગણાવ્યા છે અને કહ્યું છે કે જમિયત માટે જિહાદનો અર્થ આતંકવાદીઓ સામે લડવાનો છે.
સત્તાધારી પક્ષ પર ગંભીર લગાવ્યા આરોપ
મદનીએ સત્તાધારી વર્તુળો પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રાલયોએ જાણે નક્કી કર્યું છે કે મુસ્લિમો સાથે જોડાયેલી કોઈ પણ નકારાત્મક વાત સામે આવે તો તેને ‘જિહાદ’ કહી દેવું. તેમણે કહ્યું કે, ‘લવ જિહાદ’, ‘જમીન જિહાદ’, ‘થૂંક જિહાદ’ અને ‘વોટ જિહાદ’ જેવા નવા શબ્દો મુસ્લિમોને બદનામ કરવા અને ગાળો દેવાના સ્વરૂપમાં ઘડવામાં આવ્યા છે. મૌલાના મદનીએ ભારપૂર્વક જણાવ્યું કે જિહાદ એક પવિત્ર શબ્દ છે અને તેમનું મિશન તેની સાચી વ્યાખ્યા સમાજ સામે લાવવાનું છે. તેમણે કહ્યું કે સરકારી સ્તરે પણ મુસ્લિમોને ‘જિહાદી’ માનવાની ધારણા બનાવી લેવામાં આવી છે, જે ચિંતાજનક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીઓ પાસેથી આશાઓ વ્યક્ત કરતાં મદનીએ કહ્યું કે તેઓ રાજનીતિ માટે ભાગલા પાડે છે. જોકે, તેમણે આશા સેવી કે તમામ લોકોએ બેસીને મુસ્લિમ સમુદાયની ચિંતાઓનું સમાધાન કરવું જોઈએ. તેમણે દેશના વર્તમાન બદલાયેલા સંજોગો અંગે ચેતવણી આપતા કહ્યું કે, મુસ્લિમોને હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાનું અનુભવાઈ રહ્યું છે. જમિયત પ્રમુખે સ્પષ્ટ કર્યું કે તેમની ચિંતાઓને દેશદ્રોહ (વિશ્વાસઘાત) તરીકે જોવું યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જિહાદને લઈને તેમના નિવેદનનો આતંકવાદ કે હિંસા સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ પાકિસ્તાનની ખોટી માન્યતાઓના જાળમાં ન ફસાવા માટે લોકોને જાગૃત કરવા છેલ્લા 30 વર્ષથી પ્રયત્નશીલ છે.
#WATCH | Delhi: On his remarks on 'Jihad', Jamiat Ulama-i-Hind president Maulana Mahmood Madani, in an interview to ANI, says, "What I said has nothing to do with terrorism and violence…We're united on matters of national development and national security. When we agree on… pic.twitter.com/6bOz6L4q18
— ANI (@ANI) December 3, 2025
આપણ વાંચો: ટાટા ગ્રુપે ભાજપ પર કરોડો રૂપિયા વરસાવ્યા! જાણો ક્યા પક્ષને કાટલું દાન મળ્યું



