ગુવાહાટીથી ચેન્નઈ જતી ફ્લાઈટનું બેંગલુરૂમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફ્લાઈટની સમસ્યાઓની અનેક ઘટનાઓ સામે આવી છે. આજે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. બેંગલુરૂ ખાતે ઇન્ડિગોની એક ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે ફ્લાઇટના તમામ યાત્રીઓ સલામત છે.
આપણ વાંચો: થાઈલેન્ડમાં એર- ઈન્ડિયાની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, આ છે કારણ
કેમ કરાયું ઇમરજન્સી લેન્ડિંગ?
ઇન્ડિગોની એક ફ્લાઈટ 168 યાત્રીઓને લઈને ચેન્નઈ જઈ રહી હતી. વિમાનમાં ઇંધણની ગંભીર અછત સર્જાઈ હતી. જેથી પાયલટે બેંગલુરૂ એરપોર્ટ પર મેડે કોલ કર્યો હતો.
ઇમરજન્સી લેન્ડિંગને લઇને એટીસી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા હતા. મેડિકલ અને ફાયર બ્રિગેડની ટીમ પણ રન વે પર પહોંચી ગઈ હતી. જોકે રાત્રે 8.20 કલાકે ફ્લાઈટનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 19 જૂન 2025ને ગુરૂવારે સર્જાયેલી આ ઘટના પાયલટને હટાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: લંડનથી મુંબઈ આવતી ફ્લાઇટનું તુર્કીયેમાં ઇમરજન્સી લેન્ડિંગ, 200 થી વધુ ભારતીયો ફસાયા
બે દિવસમાં ઇન્ડિગોની બે ફ્લાઈટે બેંગલુરૂ એરપોર્ટની મદદ માંગી
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે એટલે કે શુક્રવારે મદુરાઈ જનારી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેથી તેણે પરત ફરવાની અને બેંગલુરૂ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની એટીસી પાસે મંજૂરી માંગી હતી. આ ફ્લાઈટમાં લગભગ 68 યાત્રીઓ હતા. જેઓને સુરક્ષીત રીતે એરપોર્ટ પર ઉતારાયા હતા.
મેડે કોલ શું છે?
મેડે શબ્દ ફ્રેંચ ભાષામાંથી તરી આવેલો શબ્દ છે. જેનો અર્થ ‘મારી મદદ કરો’ એવો થાય છે. વિમાનમાં જ્યારે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે પાયલટ ‘મેડે કોલ’ કરીને મદદ માંગે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના વખતે પણ પાયલટ દ્વારા મેડે કોલ કરવામાં આવ્યો હતો.