ટોપ ન્યૂઝનેશનલ

પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…

નવી દિલ્હી: ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક પૂર્વે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે બપોરના બે વાગ્યાના સુમારે પ્રસ્થાન કરનારી ટ્રેન માટે ચાર્ટ અગાઉના દિવસે રાતના નવ વાગ્યાથી તૈયાર કરવામાં આવશે.

નવા નિયમોની વિગતો જાણો
રેલવે બોર્ડે વિસ્તૃતમાં જણાવ્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે. બપોરના 2 વાગ્યા પહેલાં રવાના થતી ટ્રેનનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગ્યે તૈયાર કરાશે. આ ઉપરાંત, પહેલી જુલાઈથી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પર માત્ર પ્રમાણિત યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત થશે, જેમાં ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ આધાર (નંબર) અથવા અન્ય સરકારી IDનો ઉપયોગ થશે.

ટિકિટ બુકિંગની ક્ષમતા
યાત્રી રિઝર્વેશન સિસ્ટમ (PRS) પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુક કરવાની ક્ષમતા ધરાવે છે. આ નવી સિસ્ટમ યાત્રીઓને ઝડપી અને સરળ બુકિંગનો અનુભવ આપશે. OTP આધારિત પ્રમાણિત ટિકિટ બુકિંગમાં છેતરપિંડીના બનાવોમાં ઘટાડો થશે. આ ફેરફારો ખાસ કરીને તહેવારોની સિઝનમાં ટિકિટ બુકિંગને વધુ વ્યવસ્થિત બનાવશે.

પહેલી જુલાઈથી ભારતીય રેલવેના વિવિધ નિયમો બદલાવ થવા જઈ રહ્યા છે. આ નિર્ણય બદલાવનો મુખ્ય હેતુ રેલવેમાં પારદર્શકતા અને યાત્રીઓની સુવિધા વધાવાનો છે. આ ઉપરાંત રેલવેમાં નોકરી ઇચ્છુક ઉમદવારે માટે સારા સમાચાર પણ મળી રહ્યા છે. રેલવે ભરતી બોર્ડે ટેકનિશિયનની 6238 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હવેથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે રિઝર્વેશન ચાર્ટ જાહેર કરવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

રેલવે ભરતી
રેલવે ભરતી બોર્ડ (RRB) એ ટેકનિશિયન ગ્રેડ-I સિગ્નલ અને ગ્રેડ-IIIની 6238 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો 28 જુલાઈ સુધી rrbapply.gov.in પર અરજી કરી શકે છે, જ્યારે ફી ચૂકવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ છે. અરજી સુધારણા માટે 1થી 10 ઑગસ્ટ સુધીની વિન્ડો ખુલ્લી રહેશે. પરીક્ષા 90 મિનિટની હશે, જેમાં 100 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, અને દરેક ખોટા જવાબ માટે ⅓ ગુણની નેગેટિવ માર્કિંગ થશે.

આપણ વાંચો : Indian Railwaysની આ એપ છે ખુબ જ કામની, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button