નેશનલ

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે ક્રિકેટર્સ થયા વ્યથિતઃ સોશિયલ મીડિયા પર યુસુફ પઠાણથી લઈને હરભજન સિંહે શું કહ્યું? જાણો

અમદાવાદ: એર ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં સર્જાયેલી મોટી દુર્ઘટના અંગે બોલીવુડના કલાકારોએ પોતાની સંવેદના વ્યક્ત કરવાની સાથે ભારતીય ક્રિકેટર્સે પણ આ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. જાણીતા ક્રિકેટર્સમાં યુસુફ પઠાણથી લઈને હરભજન સિંહે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

દુર્ઘટના અંગે આઘાત લાગ્યો: યુસુફ પઠાણ

પૂર્વ ક્રિકેટર અને બહરામપુરથી ટીએમસીના સાંસદ યુસૂફ પઠાણે એક્સ પર લખ્યું કે, “અમદાવાદ એરપોર્ટ પાસે એર ઈન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઈટની દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. તમામ મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે પ્રાર્થના કરૂં છું.”

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો

અત્યારે કહેવા માટે શબ્દો ઓછા છેઃ હરભજનસિંહ

પૂર્વ ક્રિકેટર અને રાજ્ય સભા સાંસદ હરભજનસિંહે એક્સ પર લખ્યું કે, “અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા વિમાનની દુર્ઘટનાના સમાચાર સાંભળીને એકદમ આઘાત લાગ્યો, હું દુ:ખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો અને તેમના પરિવારજનો માટે હું હૃદયપૂર્વક પ્રાર્થના કરૂં છું. આવી ક્ષણે શબ્દો ઓછા પડે છે. હું આશા રાખું છું કે, અસરગ્રસ્તોને શક્તિ, હિંમત અને સહારો મળે.”

દરેક પરિવારોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે: ઈરફાન પઠાણ

ઈરફાન પઠાણે એક્સ પર લખ્યું કે, “આજે અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાથી હૃદય ખૂબ દુખી છે. દરેક મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરૂં છું.”

શિખર ધવને પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું કે, “મેઘાણી નગર પાસે થયેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત અને અસરગ્રસ્ત તમામ લોકો માટે હું પ્રાર્થના કરૂં છું. તેમના પ્રિયજનોને શક્તિ મળે એવી પ્રાર્થના.”

આ પણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…

સુરેશ રૈનાએ એક્સ પર લખ્યું કે, “અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને સંપૂર્ણ રીતે સ્તબ્ધ થઈ ગયો છું. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, આ દુખદ સમયમાં મારી પ્રાર્થના એવા પરિવારજનો સાથે છે. ઈશ્વર દરેક પરિવારોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.”

ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટમાં 242 મુસાફરો સવાર હતા. જે પૈકી 169 ભારતીય. 53 બ્રિટીશર્સ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતો. આ સિવાય ફ્લાઈટમાં પાયલટ સહિત કેબિન ક્રૂના 12 સભ્યો હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button