નેશનલ

Not a single project…! સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર જાહેરમાં આ શું બોલ્યા વાયુસેનાના વડા?

નવી દિલ્હીઃ દેશના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સંરક્ષણ ડિલિવરીમાં થતા વિલંબ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાલેલા યુદ્ધ બાદ તેમણે પહેલી વખત આવી જાહેરમાં ટિપ્પણી કરી છે. સંરક્ષણ સોદાઓના સપ્લાયમાં વિલંબ પર એર ચીફ માર્શલે નિરાશા વ્યક્ત કરી છે. કહ્યું કે, એક પણ પોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવતો નથી. આવી સ્થિતિ હોવા છતાં પણ સશસ્ત્ર દળોએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું છે.

એક પણ પોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવતો નથીઃ એર ચીફ માર્શલ

એર ચીફ માર્શલ સિંહ સ્પષ્ટપણે બોલવા માટે પ્રખ્યાત છે. અત્યારે તેમણે કહ્યું કે લગભગ એક દાયકા પહેલા સુધી, ભારતીય વાયુસેના મુખ્યત્વે બહારથી હથિયારોની ખરીદી કરતી હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને દેશની અંદર તકો શોધવાનું શરૂ કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિએ અમને અહેસાસ કરાવ્યો છે કે આત્મનિર્ભરતા એકમાત્ર ઉકેલ છે. કોઈ પણ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાથી વિકાસ વધારે થયાં છે. પરંતુ સંરક્ષણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવામાં વિલંબ થાય છે તેના પર વાયુસેનાના વડાએ દુઃખ વ્યક્ત કર્યું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તેજસ લડાયક વિમાનની ડિલિવરીમાં ભારે વિલંબથી વાયુસેના નારાજ હોય તેવું જણાઈ રહ્યું છે.

સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં થતા વિલંબ પર વાયુસેનાના વડાએ દુઃખ વ્યક્ત કર્યું

એર ચીફ માર્શલ અમરસિંહએ કહ્યું કે, ‘સમય મર્યાદા એક મોટો મુદ્દો છે. આ તે જગ્યા છે જ્યાં પ્રતિબદ્ધતાનો ભાગ આવે છે. એકવાર સમયમર્યાદા આપવામાં આવે છે…” તેમણે સંરક્ષણ ડિલિવરીમાં વિલંબનો મુદ્દો આગળ ઉઠાવ્યો અને કહ્યું, ‘તો, આ એવી બાબત છે જેની આપણે તપાસ કરવી જોઈએ, આપણે એવું વચન કેમ આપવું જોઈએ જે પૂર્ણ ન થઈ શકે, કેટલીકવાર કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જ આપણને ખાતરી હોય છે કે કામ પૂર્ણ થવાનું નથી. પરંતુ, અમે કરાર પર હસ્તાક્ષર કરીએ છીએ અને જોઈએ છીએ કે તે પછી શું કરી શકાય… દેખીતી રીતે ત્યાં સુધીમાં આખી પ્રક્રિયા બગડી ગઈ હોય છે.”

વિશ્વની વર્તમાન પરિસ્થિતિમાં આત્મનિર્ભરતા એ એકમાત્ર ઉકેલ છે

આ મામલે સરકાર કોઈ નિયમો બનાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “સરકારે જે પણ કેટલાક નિયમો બનાવ્યાં છે, હું એમ નથી કહેતો કે આપણે આ માર્ગ પર જાતે જ આવ્યા હોત. એક સમય એવો હતો જ્યારે આપણે હંમેશા ભારતીય ઉદ્યોગ પર શંકા કરતા હતા કે શું તેઓ સારી પ્રોડક્ટ બનાવી શકશે? આવી સ્થિતિમાં વિદેશીથી ખરીદી કરવામાં આવતી હતી. એર ચીફએ કહ્યું કે વિશ્વની વર્તમાન પરિસ્થિતિએ આપણને એ વાતનો અહેસાસ કરાવ્યો છે કે આત્મનિર્ભરતા એ એકમાત્ર ઉકેલ છે, પરંતુ તેના માટે આપણે ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડશે.

આપણ વાંચો:  સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે શશી થરૂરને ટ્રોલ કર્યા બાદ કોંગ્રેસે કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર વિવાદ

અત્યારે ત્વરીત મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ થાય તે જરૂરીઃ એર ચીફ માર્શલ

એર ચીફ માર્શલ અમરસિંહએ એવું પણ કહ્યું કે, આવતા 10 વર્ષોમાં સારૂ એવું કામ થાય તેવું લાગી રહ્યું છે. દરેક ક્ષેત્ર સારી રીતે કામ કરી રહ્યાં છે. પરંતુ હવે ત્વરીત મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ થવા જોઈએ, જેથી આપણે તે તૈયાર ભાગ હમણાં જ મેળવી શકીએ’. વધુમાં વાત કરીએ એર ચીફ માર્શલ અમરસિંહના કહેવા પ્રમાણે મૂળ વાત એ છે કે, જે વસ્તુની આજે જરૂર છે, તે આજે જ બનવી જોઈએ! એ વસ્તુ કાલે કદાચ કોઈ જ કામની ના હોય. આ દરેક બાબતો પરથી એવું લાગી રહ્યું છે. આપણે હજી વધારે બદલાવની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button