નેશનલસ્પોર્ટસ

કેએલ રાહુલનું છ મહિને ટીમ ઇન્ડિયામાં અને દુબેનું છ વર્ષે વન-ડે ટીમમાં કમબૅક

ગાયકવાડને અંજલિ આપવા ભારતીયો હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા

કોલંબો: શ્રીલંકાએ અહીં ભારત સામેની પ્રથમ વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી ખરાબ શરૂઆત કરી હતી. યજમાન ટીમે ત્રીજી જ ઓવરમાં ઓપનર અવિષ્કા ફર્નાન્ડોની પહેલી વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. જોકે પછીથી ઓપનર પથુમ નિસન્કા તથા વિકેટકીપર કુસાલ મેન્ડિસે બાજી થોડી સંભાળી લીધી હતી.

ભારતે આ મૅચમાં વિકેટકીપર-બૅટર કેએલ રાહુલને રમવાનો મોકો આપ્યો છે. રાહુલ છ મહિને પાછો ટીમ ઇન્ડિયામાં આવ્યો છે. છેલ્લે તે જાન્યુઆરીમાં હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં રમ્યો હતો. તેણે વન-ડેમાં સાત મહિને કમબૅક કર્યું છે. તેણે આ પહેલાં 75 વન-ડેમાં 2,820 રન બનાવ્યા છે તેમ જ વિકેટની પાછળથી કુલ 67 શિકાર કર્યા છે.

વિકેટકીપર તરીકે રિષભ પંતને ઇલેવનમાં સમાવવો કે રાહુલને એ વિશે કૅપ્ટન રોહિત શર્મા અને હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતના ટીમ મૅનેજમેન્ટમાં મૂંઝવણ હતી અને છેવટે રાહુલને રમવાનો મોકો આપવાનું નક્કી કરાયું હતું.

શિવમ દુબેને ભારત વતી વન-ડેમાં પાંચ વર્ષે ફરી રમવાની તક મળી છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં રમી ચૂકેલો દુબે એકમાત્ર વન-ડે ડિસેમ્બર, 2019માં ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો.

શ્રેયસ ઐયર અને કુલદીપ યાદવને પણ આ વન-ડેમાં રમવાનો મોકો મળ્યો છે.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું બુધવારે અવસાન થયું હતું અને ભારતીય ખેલાડીઓ આ મૅચમાં તેમને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે.

શ્રીલંકાએ પેસ બોલર મોહમ્મદ શિરાઝને ડેબ્યૂ કરવાની તક આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી