ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાન પહેલાથી જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે! યુએનમાં ભારતે શાહબાઝને ઝાટક્યા…

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પહેલા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને પણ સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાઠ ભણાવ્યો છે. જેથી પાકિસ્તાને વિશ્વના ઘણા દેશોને ભારતને સમજાવવા માટે અપીલ કરી રહ્યું છે. તાજિકિસ્તાનના દુશાંબેમાં ગ્લેશિયર્સ પરના પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પૂર્ણ સત્રને સંબોધતા વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે સ્પષ્ટપણે કહ્યું છે કે, પાકિસ્તાને સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને સરહદ પાર આતંકવાદ અને બળવાખોરી ફેલાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરી રહ્યું છેઃ કીર્તિવર્ધન સિંહ
સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાણી માટે પોકાર કરી રહ્યાં છે. શાહબાઝે કહ્યું કે, ભારત હવે પાણીને હથિયાર બનાવી રહ્યું છે. શાહબાઝ શરીફના આ નિવેદનનો જવાબ આપતા વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, પાકિસ્તાન સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરીને આવા આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવા માંગે છે. વધુમાં કહ્યું કે, સંધિની પ્રસ્તાવનામાં જણાવાયું છે કે તે સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી પૂર્ણ થયું હતું, અને આ સંધિનું સદ્ભાવનાથી સન્માન કરવું જરૂરી છે’. પાકિસ્તાનને હવે ભારત દરેક બાજૂથી ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

X/@KVSinghMPGonda

યુએનને સિંધુ જળ સંધિના મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથીઃ ભારત
પાકિસ્તાને યુએનમાં સિંધુ જળ સંધિ મુદ્દે ચર્ચા શરૂ કરી છે, જેના કારણે ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાને જે મંચ પર સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવ્યો છે તે મંચને આ મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. પાકિસ્તાન આ મંચનું અપમાન કરી રહ્યું છે. કીર્તિવર્ધન સિંહે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેના પ્રત્યે કોઈ ઉદારતા દાખવી શકાય નહીં.

પાકિસ્તાની અખબારે સંધિ સ્થગિત કરવાના નિર્ણયને એકપક્ષીય ગણાવ્યો
સંધિનું ઉલ્લંખન વારંવાર પાકિસ્તાને કર્યું છે. તેમ છતાં પાકિસ્તાની અખબાર ડોને શરીફને ટાંકીને લખ્યું હતું કે, ‘સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ભારતનો એકપક્ષીય અને ગેરકાયદેસર નિર્ણય, જે સિંધુ બેસિનના પાણીની વહેંચણીનું સંચાલન કરે છે, તે અત્યંત ખેદજનક છે’ પાકિસ્નાન વડા પ્રધાને પણ ભારતને ધમકી આપી હતી. જો કે, પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાને સામે લાલ આંખ કરીને આકરા નિર્ણયો લીધા છે. જેથી પાકિસ્તાન વિશ્વના દેશો પાસે મદદ માટે ફરી રહ્યું છે.

આપણ વાંચો : શું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ફાઇટર જેટ ગુમાવ્યા? CDS અનિલ ચૌહાણે કર્યો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button