નેશનલ

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષા કારણોસર 32 એરપોર્ટ બંધ કરાયા

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન સરહદ પર સતત વધી રહેલા તણાવ વચ્ચે સુરક્ષા કારણોસર દેશના 32 એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સિવિલ એવિએશન વિભાગ દ્વારા આ અંગે વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા હાલતના પગલે હવાઇ મુસાફરોએ નાગરિકોની સુરક્ષાના પ્રાથમિકતાને ધ્યાનના રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવામાં આવશે. આ એરપોર્ટના નામ આ મુજબ છે.

  1. અધમપુર
  2. અંબાલા
  3. અમૃતસર
  4. અવંતીપુર
  5. ભટિંડા
  6. ભુજ
  7. બિકાનેર
  8. ચંડીગઢ
  9. હલવારા
  10. હિંડોન
  11. જેસલમેર
  12. જમ્મુ
  13. જામનગર
  14. જોધપુર
  15. કંડલા
  16. કાંગડા (ગાગલ)
  17. કેશોદ
  18. કિશનગઢ
  19. કુલ્લુ મનાલી (ભુંતર)
  20. લેહ
  21. લુધિયાણા
  22. મુન્દ્રા
  23. નલિયા
  24. પઠાણકોટ
  25. પટિયાલા
  26. પોરબંદર
  27. રાજકોટ (હીરાસર)
  28. સરસાવા
  29. શિમલા
  30. શ્રીનગર
  31. થોઇસ
  32. ઉત્તરલાઈ

પાકિસ્તાને 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

આ પણ વાંચો…એરપોર્ટ બંધ થતા રેલવે એક્શનમાં, ફસાયેલા પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button