ટોપ ન્યૂઝનેશનલ

I.N.D.I.A. ગઠબંધનના પીએમપદના ઉમેદવાર કોણ, જાણો રાહુલ ગાંધીનો જવાબ?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનના વડા પ્રધાનપદની વ્યક્તિ કોણ હશે એ બાબત હજુ પણ રહસ્ય અકબંધ છે. ચૂંટણી પ્રચાર રેલીઓમાં પણ પીએમ મોદી સહિત ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓ વડા પ્રધાનપદના ચહેરાને લઈ વિપક્ષ પર પ્રહારો પણ કરે છે.

આ બધા અહેવાલોની વચ્ચે હવે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધનના પીએમ ફેસને લઈ મોટી પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ પાર્ટી ચૂંટણીના ઢંઢેરાને જાહેર કરતા કહ્યું હતું કે હાલમાં અમે એક વૈચારિક ચૂંટણી લડી રહ્યા છીએ અને I.N.D.I.A. ગઠબંધનના પીએમના ઉમેદવારની જાહેરાત ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે. એક તરફ પીએમ મોદી અને ભાજપના નેતા જનતા પાસે સતત ત્રીજી વખત કાર્યકાળની માગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ વિપક્ષી ગઠબંધને હજુ સુધી પોતાના પીએમપદના ચહેરા માટે કોઈ નિર્ણય લીધો નથી.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર કોર્ટની અંતિમ મુદત

ગત વર્ષે ડિસેમ્બરમાં I.N.D.I.A.ની બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમના ગઠબંધનના પીએમ ફેસને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામની પણ સલાહ આપી હતી. આના પર કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે ગઠબંધને પીએમ પદનો દાવો કરવા માટે પહેલા પર્યાપ્ત સંખ્યામાં બેઠકો જીતવી પડશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વર્ષ 2004માં ઈન્ડિયા શાઈનિંગ હેઠળ પ્રચાર કરવામાં આવ્યો હતો. યાદ રાખજો તે અભિયાનમાં કઈ પાર્ટીને જીત મળી હતી. વાસ્તવમાં 2004માં અટલ બિહારી વાજપેયીની નેતૃત્વવાળી ભાજપ સરકારનો ઈન્ડિયા શાઈનિંગનો નારો ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો અને એ વખતે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી.

2014માં ભાજપ ફરી સત્તામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા હતા એના પછી 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર 370 સીટ અને એનડીએની સાથે મળીને 400થી વધુ સીટ જીતવાનો લક્ષ્યાંક રાખે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning