દિલ્હીમાં એક કર્મચારીએ પહેલા દિવસે આપ્યું રાજીનામું, HR એ સોશિયલ મીડિયામાં શેર કરી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ નોકરીના પહેલા દિવસે કોઈ કર્મચારીના કામનો અંદાજ કેવી રીતે લગાવી શકાય? દિલ્હીમાં એક કર્મચારીએ માત્ર એક જ દિવસમાં નોકરી પરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે એચઆર કર્મચારીના આ વર્તનની નારાજ થઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હીમાં એક HR એક્ઝિક્યુટિવે તેની કંપનીના એક કર્મચારીને કામ પર પહેલા દિવસે જ રાજીનામું આપી દેતાં નિરાશા વ્યક્ત કરી છે. કારણે કે, કર્મચારીએ નોકરી છોડતા પહેલા કારણ પણ નહોતું જણાવ્યું.
આપણ વાંચો: નૌકાદળ ભવનમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા કર્મચારીની ધરપકડ, ફોનમાંથી મળી ચોંકાવનારી માહિતી
ના કોલ ના મેઈલ માત્ર મેસજ કે – મને કામ પસંદ નથી’
રાજીનામું આપતા પહેલા કોલે કે મેઈલ કંઈ જ ના કર્યું માત્ર એચઆરને એટલો મેસેજ કર્યો કે, ‘મને કામ પસંદ નથી’ પોતાની હવે વાયરલ થયેલી LinkedIn પોસ્ટમાં લખ્યમાં આવ્યું કે, ‘તાજેતરમાં, એક વ્યક્તિ જોડાયો અને દિવસ 1 ના અંત સુધીમાં, સંદેશ મોકલ્યો: ‘મુઝે યે કામ પસંદ નહીં આયા.
‘ કોઈ ફોન નહીં, કોઈ યોગ્ય સમજૂતી નહીં. બસ થઈ ગયું.” આવી રીતે નોકરી છોડવી કેટલું યોગ્ય છે? આખરે એક દિવસમાં તમને કામ સરળ કેવી રીતે લાગી શકે? આવા એચઆરે સવાલો કર્યો હતો. પરંતુ કર્મચારી માન્યો નહીં અને રાજીનામું આપી દીદું.
આપણ વાંચો: પહેલી જુલાઈથી કચરો ઉપાડવાનું સુધરાઈના કર્મચારીઓ બંધ કરશે!
એચઆરે નોકરી શોધતા લોકોને આપી ખાસ સલાહ
કર્મચારી સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ એચઆરે પોસ્ટ કર્યા છે. જેમા બન્ને વચ્ચે શું ચર્ચા થઈ એ જાણી શકાય છે. એચઆરે લખ્યું કે, ‘કોઈ પણ નોકરી એક દિવસમાં સંપૂર્ણ બનતી નથી. કોઈ પણ કંપની 24 કલાકમાં બધું સાબિત કરી શકતી નથી. અને જ્યાં સુધી તમે તમારો સમય, શક્તિ અને માનસિકતા ન આપો ત્યાં સુધી કોઈ પણ ભૂમિકા ક્યારેય ‘આરામદાયક’ લાગશે નહીં’ અન્ય લોકો જે નોકરી મેળવા માંગે તેમના માટે આ સંદેશ હોવાનું પણ એચઆરે જણાવ્યું હતુ.
લોકોને અત્યારે કામના સ્થળે વધારે છૂટછાટ જોઈતી હોય તેવું લાગે છે. કામના સ્થળે માત્ર એક જ દિવસમાં તમને કામ સારૂ કેવી રીતે લાગી શકે? કોઈ વ્યક્તિ અન્ય જગ્યાએથી કામ કરવા માટે બીજી જગ્યાએ જાત તો સ્વાભાવિક છે કે, દરેક જગ્યાએ કામ સરખુ ના પણ હોય. જેથી દિલ્હીની આ કંપનીમાં જે રીતે કર્મચારીએ રાજીનામું આપ્યું છે તેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.