ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલા મુદ્દે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ આપ્યું આ મોટું નિવેદન

નવી દિલ્હી : અમેરિકાના કેલિફોર્નિયામાં મંદિરમાં થયેલી( Hindu Temple Attack )તોડફોડ પર હિન્દુ મહાસભા સહિત અનેક સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી છે. હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ છે કે પહેલા આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો વિશે વાત કરતા હતા. પરંતુ હવે ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ આપણો ધર્મ સુરક્ષિત નથી.

હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું, ‘મને ટ્રમ્પ સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મને આશા છે કે જેમણે આ કર્યું છે તેમની ધરપકડ કરવામાં આવશે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું, ‘બધા વિકસિત દેશોએ હિન્દુઓના રક્ષણ માટે સાથે આવવું જોઈએ. અમેરિકામાં ક્યાંક સ્થાનિક સરકારને નફરત કરતા લોકોને રક્ષણ મળી રહ્યું છે.

આપણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો, દેવતાઓની મૂર્તિઓ સળગાવી

નફરત કરતા લોકોને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી રક્ષણ મળી રહ્યું છે

કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા અંગે સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નફરત કરતા લોકોને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે હિન્દુઓ હંમેશા માનવતાના કલ્યાણની વાત કરે છે’.

વિકસિત દેશોમાં પણ હિન્દુઓ સુરક્ષિત નથી

હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ સામે અવાજ ઉઠાવ્યો છે પરંતુ હવે અમેરિકામાં જ હિન્દુ મંદિરો પર હુમલો થઈ રહ્યો છે. હવે વિકસિત દેશોમાં પણ હિન્દુઓ સુરક્ષિત નથી પૂજારી સુરક્ષિત નથી. આપણા મંદિરો સુરક્ષિત નથી આનાથી વધુ દુર્ભાગ્ય શું હોઈ શકે?

આપણ વાંચો: કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ

સંયુક્ત રાષ્ટ્રોએ વિચાર કરવો જોઈએ

તેમણે કહ્યું, ‘હું સંયુક્ત રાષ્ટ્ર પાસેથી માંગ કરું છું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુ મંદિરોનું રક્ષણ કેવી રીતે કરી શકાય તે અંગે વિચાર કરે. હિન્દુઓ સમગ્ર વિશ્વના કલ્યાણની વાત કરે છે. આવી સ્થિતિમાં હિન્દુ મંદિરો પર હુમલા ખૂબ જ ચિંતાનો વિષય છે. ટ્રમ્પ સરકારે આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ માટે જવાબદાર લોકોની ધરપકડ કરવી જોઈએ અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button