Ayushman Arogya Mandirsમાં Yog દિવસ ઉજવવા આરોગ્ય મંત્રાલયની ભલામણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ૨૧ જૂને તમામ કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિરો (Ayushman Arogya Mandirs-એએએમએસ) પર સામૂહિક પ્રદર્શનો યોજીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની ઉજવણી કરવા વિનંતી કરી છે. તેમજ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે યોગ એમ્બેસેડર તરીકે અગ્રણી જાહેર વ્યક્તિઓને આમંત્રણ આપવાનું પણ સૂચન કર્યું હતું.
તાજેતરમાં રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે યોગ એ આયુષ્માન આરોગ્ય મંદિર (એએએમ) ખાતે વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને સર્વગ્રાહી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા એએએમ ખાતે નિયમિતપણે જૂથ સત્રો યોજવામાં આવે છે.
દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સામૂહિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂને ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એકંદર આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરવાની તેની વિશાળ સંભાવના વિશે જાગૃતિ લાવવાનો અને નાગરિકોમાં યોગની પ્રેક્ટિસને પ્રેરિત કરવાનો છે.
આયુષના સંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વર્ષની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. ચંદ્રાએ પત્રમાં જણાવ્યું હતું કે હું તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૨૧મી જૂનના રોજ ‘પરિવાર સાથે યોગ’ તમામ ઓપરેશનલ એએએમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(આઇડીવાય) ૨૦૨૪નું અવલોકન કરવા વિનંતી કરું છું.
તેમણે આઇડીવાયનું બ્રાન્ડિંગ તમામ એએએમ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો અને રાજ્ય અને જિલ્લા કચેરીઓ પર કરવા અને મહત્તમ ભાગીદારી માટે પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રી-ઇવેન્ટ પ્રચારને પ્રોત્સાહિત કરવાનું સૂચન પણ કર્યું છે.