
નવી દિલ્હી: રાજીવ કુમારની નિવૃત્તિ બાદ જ્ઞાનેશ કુમાર(Gyanesh Kumar)ને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવશે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બનતા ખાલી પડેલા પદ પર વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
Also read : Delhi માં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ , પીએમ મોદી સહિત અનેક નેતાઓ રહેશે હાજર

રાજીવ કુમાર આજે 18 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. સોમવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બનેલી ચૂંટણી સમિતિની બેઠક બાદ તરત જ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો આદેશ આપવામાં આવ્યો.
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે અને રાજીવ કુમારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલમાં અન્ય બે કમિશનરો કરતાં વરિષ્ઠ છે.
26મા CEC તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જ્ઞાનેશ કુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી અને 2026માં કેરળ અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીનું નિરીક્ષણ કરશે. તેઓ 2026 માં યોજાનારી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓનું પણ નિરીક્ષણ કરશે.
જ્ઞાનેશ કુમાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં તેમના કાર્યકાળ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછીના નિર્ણયોને લાગુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જ્ઞાનેશ કુમારે કાનપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યા પછી, ICFAI, HIID, હાર્વર્ડ યુનિવર્સિટી, યુએસએમાં પર્યાવરણીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
Also read : ચીન અંગે Sam Pitroda ના નિવેદનથી રાજકીય વિવાદ, કોંગ્રેસે કહ્યું આ અમારા વિચાર નહિ
તેમણે કેરળ સરકારમાં એર્નાકુલમના આસિસ્ટન્ટ કલેક્ટર, અડૂરના સબ-કલેક્ટર, કેરળ રાજ્ય વિકાસ નિગમના SC/ST માટે મેનેજિંગ ડિરેક્ટર, કોચીન કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદો પર સેવા આપી છે.