નેશનલ

ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીનો મોટો ખુલાસો, અયોધ્યામાં  Ram mandir ઉડાવવાનું હતું ષડયંત્ર

નવી દિલ્હી : ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને(Ram mandir)ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

જેની બાદ ગભરાટનો માહોલ સર્જાયો છે. ગુજરાત એટીએસ અને પલવલ એસટીએફ દ્વારા ફરીદાબાદથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ દરમિયાન તેણે  એટીએસને જણાવ્યું કે તેનું નિશાન અયોધ્યાનું રામ મંદિર હતું.

ગુજરાત ATS ટીમે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદના પાલીથી આતંકી ગતિવિધિમાં સામેલ 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ATS ટીમે તેને રસ્તા પર ચાલતો જોયો હતો અને શંકા જતાં જ તેની બેગ ખોલીને તપાસ કરવામાં આવી હતી. અંદરથી હેન્ડ ગ્રેનેડ મળી આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ખાલી પ્લોટમાં લઈ જવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી.

આપણ વાંચો: ગોધરામાંથી એટીએસે બે શંકમંદોને ઝડપ્યા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઘણા શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા

માહિતી અનુસાર, તેને રામ મંદિર પર હુમલો કરવા માટે આઇએસઆઇ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા તેમને બે હેન્ડગ્રેનેડ આપવામાં આવ્યા હતા.

જે તેઓ અયોધ્યા લઈ જવા માંગતા હતા. તેણે આ ગ્રેનેડ એક ખંડેરમાં છુપાવ્યા હતા. તેની પાસેથી ઘણા શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યા છે, જેમાં દેશના મુખ્ય ધાર્મિક સ્થળો વિશે માહિતી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઉંમર માત્ર 19 વર્ષ છે.

આપણ વાંચો: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…

ચાલતો જોતાં જ તેની ધરપકડ કરી લીધી

આ કેસનો આરોપી અબ્દુલ રહેમાન વ્યવસાયે માંસ વેચે છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેને આઇએસઆઇના એક હેન્ડલર દ્વારા બે ગ્રેનેડ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ભારતની સુરક્ષા એજન્સી એનઆઇએ અને ગુજરાત એટીએસની માહિતી પર કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ કોઈ ગુનાહિત કેસમાં વોન્ટેડ વ્યક્તિની શોધમાં હતી.

પોલીસને બાતમી મળી હતી કે પાલી ગામમાં એક ખેતર પાસે એક શંકાસ્પદ યુવાન એકલો રહે છે. ગુજરાત અને પલવલ એટીએસની ટીમો તેને શોધતી પાલી પહોંચી હતી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને રસ્તા પર ચાલતો જોતાં જ તેની ધરપકડ કરી લીધી.

સૂત્રો મુજબ આરોપી અબ્દુલ રહેમાન ઉત્તર પ્રદેશના મિલ્કીપુરનો રહેવાસી છે. તે ગુજરાતથી ભાગી ગયો હતો. તે છેલ્લા 10 દિવસથી ફરીદાબાદમાં ખેતર નજીક એક ઘરમાં બદલાયેલા નામથી રહેતો હતો. ગુજરાત એસટીએફએ પલવલ એસટીએફની મદદથી તેની ધરપકડ કરી હતી. તે આતંકી ગતિવિધિમાં સામેલ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button