દેશમાં 341 કરોડની જીએસટી ચોરીના તાર ગુજરાત અને પંજાબ સાથે જોડાયા હોવાની આશંકા

લખનઉ: દેશભરના 122 નકલી કંપની બનાવીને 341 કરોડ રૂપિયાની જીએસટી ચોરીની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નકલી કંપનીઓ ખોલીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર અંકિત કુમાર સાથે પંજાબ અને ગુજરાતના અનેક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ અંકિત અને તેના સહયોગીઓના ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે.
નકલી સરનામાથી દેશભરમાં 122 કંપનીઓ સ્થાપી
આ સમગ્ર મામલાની વિગત મુજબ સીજીએસટી વિભાગને માહિતી મળી હતી કે, આ સમગ્ર ચોરીનો માસ્ટર માઈન્ડ અંકિત કુમાર છે. તેણે લખનઉમાં રાજાજીપુરમમાં નકલી સરનામાથી દેશભરમાં 122 કંપનીઓ સ્થાપી હતી.
જે અંગે વિભાગને શરુઆતમાં કોઈ જાણ નહોતી. તેમજ બે વર્ષ સુધી અંકિત કુમારે વિભાગની સરળ પ્રક્રિયાઓનો લાભ લીધો અને નકલી કંપનીઓ દ્વારા વ્યવસાય ચલાવ્યો. પરંતુ જયારે તેનું ટર્નઓવર 1811 કરોડ થયું ત્યારે તે વિભાગની નજરમાં
આવ્યો હતો. જેની બાદ વિભાગે તેને ઝડપીને તપાસ શરુ કરી હતી.
આપણ વાચો: દેશમાં છેલ્લા પાંચમાં વર્ષમાં 7.08 લાખ કરોડની જીએસટી ચોરી પકડાઈ
મુરાદાબાદમાં એક પણ કંપની રજીસ્ટર કરાવી ન હતી
જેમાં વિભાગના અધિકારીઓને માલુમ પડ્યું કે તેણે મુરાદાબાદમાં એક પણ કંપની રજીસ્ટર કરાવી ન હતી. કારણ કે તે જાણતો હતો કે ત્યાં નોંધણી કરાવવાથી પકડાઈ જવાનું જોખમ વધી જશે. જયારે માસ્ટરમાઇન્ડ અંકિત વિભાગના અધિકારીઓથી વાકેફ હતો. દેશભરમાં વ્યવસાયો સ્થાપીને તેણે સરકારને રૂપિયા 341 કરોડની છેતરપિંડી કરી છે.
પોલીસે સીડીઆરની તપાસ શરૂ કરી
જયારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અંકિત કુમાર અને અન્ય આરોપીઓના સાચા નામ અને સરનામાં તેમના મોબાઇલ નંબર દ્વારા જાહેર કરવામાં આવશે. પોલીસ ટીમ કોલ ડિટેલ રિપોર્ટ્સ (સીડીઆર) ના આધારે આરોપીઓને શોધવાની તૈયારી કરી રહી છે.
આપણ વાચો: જીએસટી ચોરીમાં થયો તોતિંગ વધારો: 10 મહિનામાં સરકારે 1.95 લાખ કરોડની કરચોરી ઝડપી…
સીજીએસટી વિભાગના અધિકારીઓની બેદરકારી
આ સમગ્ર ઘટનાની તપાસના સીજીએસટી વિભાગના અધિકારીઓની બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં કંપનીઓની નોંધણી કરાવ્યા પછી તેમની સ્થળ ચકાસણી કરવામાં તે નિષ્ફળ ગયા હતા. જેનો લાભ લઈને અંકિત કુમારે જીએસટી ચોરી કરી હતી.
યુપી કર વિભાગના અધિકારીઓ બે ટ્રક જપ્ત કર્યા હતા
આ અંગે સમગ્ર મામલામાં યુપીના રાજ્ય કર વિભાગે 24 અને 25 ઓક્ટોબરના રોજ લખનૌ-મુરાદાબાદ હાઇવે પર લોખંડથી ભરેલા બે ટ્રક જપ્ત કર્યા. આ માલ લખનૌના રાજાજીપુરમ હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીના રહેવાસી અંકિત કુમારનો હતો અને મુઝફ્ફરનગર લઈ જવામાં આવી રહ્યો હતો.
કંપનીઓએ રૂપિયા 1,811 કરોડનું ટર્નઓવર કર્યું
જે અંગે શંકા જતા કર વિભાગના 42 અધિકારીઓની ટીમે આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે અંકિતે બે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં સીજીએસટી અને રાજ્ય કર વિભાગમાં 122 નકલી કંપનીઓ નોંધાવી હતી. ત્રણ દિવસની તપાસમાં રૂપિયા 341 કરોડ ની કરચોરીનો ખુલાસો થયો. આ કંપનીઓએ રૂપિયા 1,811 કરોડનું ટર્નઓવર કર્યું હતું . જેની બાદ વિભાગે કેસ દાખલ કર્યો છે.



