નેશનલવેપાર

સોનું ખરીદવું હોય તો સારો સમય છે, જાણો સોના-ચાંદીના ભાવ…

દેશભરમાં હવે તહેવારોની મોસમની શરૂઆત થઇ ગઇ છે. તહેવારોની મોસમમાં લોકો સોનુ અને ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે, તેથી હાલમાં બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની ખરીદીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. મહિનાના અંતે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થતાં ગ્રાહકોને રાહત મળી છે. ગઈકાલે પણ સોના-ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. આપણે આજના સોના અને ચાંદીના ભાવ જાણીએ.

આ પણ વાંચો : અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૪૩ની અને ચાંદીમાં ₹ ૫૩ની નરમાઈ

મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 65,872 પ્રતિ 10 ગ્રામ અને તોલા (11.7 ગ્રામ) દીઠ ભાવ 76,831 રૂપિયા છે. મુંબઈમાં આજે ચાંદીનો ભાવ રૂ. 85100.0/Kg છે. 24 કેરેટ સોનાની કિંમત હાલમાં 83,816 રૂપિયા પ્રતિ તોલા છે અને ગ્રાહકોએ 10 ગ્રામ માટે 71,860 રૂપિયા ચૂકવવા પડશે.

મહારાષ્ટ્રના પુણે, નાશિક, ઔરંગાબાદ, નાગપુર જેવા શહેરોમાં પણ સોના અને ચાંદીના ભાવ મુંબઇ જેટલા જ છે.
આપણા દેશમાં સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે. સોનાની વૈશ્વિક માંગ, વૈશ્વિક ચલણમાં ભિન્નતા, વ્યાજ દરો અને સરકારી નીતિઓ જેવા સ્થાનિક પરિબળો ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને અન્ય કરન્સી સામે યુએસ ડૉલરની મજબૂતાઈ જેવા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભારતીય બજારમાં સોનાના દરને પ્રભાવિત કરે છે.

સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે, જેમાં 24 કેરેટ સોનાની શુદ્ધતા 99.9% અને 22 કેરેટ સોનાની શુદ્ધતા 92% છે. સોનાના દરેક કેરેટમાં 4.2% શુદ્ધ સોનું હોય છે, તેથી 14 અને 18 કેરેટ સોનામાં અનુક્રમે માત્ર 58.33% અને 75% શુદ્ધ સોનું હોય છે. જ્વેલર્સ સામાન્ય રીતે દાગીના માટે 14, 18 અથવા 22 કેરેટ સોનાનો ઉપયોગ કરે છે કારણ કે 24 કેરેટ સોનું ખૂબ નરમ હોય છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી ધાતુઓને મિશ્રિત કરીને જ્વેલરી બનાવવામાં આવે છે. ખરીદી કરતા પહેલા હંમેશા સોનાની શુદ્ધતાની ખાતરી કરવી જોઇએ.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…