નેશનલ

Saraswati Statue: સાડી વિનાની દેવી સરસ્વતીની મૂર્તિ બાબતે ત્રિપુરા કોલેજમાં હોબાળો

અગરતલા: ગઈ કાલે વસંતપંચમીના અવસર પર ત્રિપુરાના અગરતલા(Agartala)માં માતા સરસ્વતીની મૂર્તિ(Saraswati Statue)ને બાબતે હોબાળો થયો હતો. અગરતલાની એક સરકારી કોલેજમાં સરસ્વતી પૂજા દરમિયાન દેવીની કથિત રીતે અશ્લીલ પ્રતિમા બાબતે અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) અને બજરંગ દળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સરસ્વતી દેવીની પ્રતિમાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ABVPના કાર્યકર્તાઓએ કથિત રીતે અશ્લીલ પ્રતિમાને બાબતે વિરોધ શરૂ કર્યો હતો, મૂર્તિમાં દેવીને પરંપરાગત ભારતીય પોશાક પહેરાવવામાં આવ્યો ન હતો, પાછળથી બજરંગ દળ પણ વિરોધમાં જોડાયો હતો. ત્રિપુરામાં, એબીવીપીના મહાસચિવ દિબાકર અચરજીએ દેવી સરસ્વતીને વાંધાજનક રીતે રજુ કરવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.


ABVPના મહાસચિવ દિબાકર અચરજીએ કહ્યું કે, “આપણે બધા જાણીએ છીએ કે આજે વસંત પંચમી છે અને દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા થાય છે. વહેલી સવારે અમને બધાને સમાચાર મળ્યા કે સરકારી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલેજમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવી રહી છે. જ્યાં સરસ્વતીની મૂર્તિ ખૂબ જ અયોગ્ય અને અશ્લીલ રીતે બનાવવામાં આવી છે.”


પ્રદર્શનકારીઓએ અગરતલા સરકારી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલેજ પ્રસાશન પાસે માંગ કરી હતી કે દેવી સરસ્વતીની મૂર્તિને સાડી પહેરાવવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિદ્યાર્થી પાંખ ABVP એ કોલેજ ઓથોરિટી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો