નેશનલ

વારંવારની ચૂંટણીઓ દેશ માટે સારી નથીઃ Rajnath Singh

કુશીનગર: કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh) ગુરુવારે કહ્યું હતું કે વારંવારની ચૂંટણીઓ દેશ માટે સારી નથી અને આગામી પાંચ વર્ષમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” સિસ્ટમ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માને છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે થવી જોઈએ. પાંચ વર્ષમાં, અમે એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે જોગવાઈઓ કરવાની શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

ઉત્તર પ્રદેશના કુશીનગરથી ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર વિજય કુમાર દુબેના સમર્થનમાં એક રેલીને સંબોધતા સિંહે મોદીના નેતૃત્વ અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ તેમના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે જ્યારે ભારત બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. પાકિસ્તાનના રાજકારણીઓ પણ ભારતના વખાણ કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના લોકો આ વાત સમજી શકતા નથી. તેઓ મોદીનો વિરોધ કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા સિંહે કહ્યું કે “રાહુલ કહે છે કે તેણે સિસ્ટમને ખૂબ નજીકથી જોઈ છે. તે કહે છે કે ત્યાં જે સિસ્ટમ હતી તે પછાત વિરોધી, ગરીબ વિરોધી હતી. તે તેના પરદાદા, દાદી અને પિતાની સરકારોની વાત કરે છે અને કહે છે કે તેમના સમયમાં પછાત વિરોધી અને ગરીબ વિરોધી સિસ્ટમ હતી.

રાહુલ ગાંધી પોતે આ બધી વાતો કહી રહ્યા છે, જેનો અર્થ છે કે તેઓ સ્વીકારી રહ્યા છે કે તેમની સરકાર દલિતો, ગરીબો અને પછાત વર્ગોની વિરુદ્ધ હતી. મને કહો, શું તમે આવા નેતા ક્યાંય જોયા છે? તે વિચિત્ર નેતા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત