નેશનલ

ફારુક અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું કે પ્રભુ રામ કોઈ એકના નથી પરંતુ બધાના છે

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ દેશમાં મુસ્લિમ સમુદાય સામે નફરતનો અંત આવશે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હંમેશા ભગવાન રામની હૃદયથી પ્રશંસા કરે છે. તેમજ અયોધ્યાના અભિષેક સમારોહમાં કોણ જશે અને કોણ નહીં જશે તે દરેકની અંગત પસંદગી છે. પરંતુ મને આશા છે કે મંદિરના દરવાજા ખુલવાથી સાથે લોકોના દિલના દરવાજા પણ ખુલશે અને મુસ્લિમો વિરુદ્ધ નફરતનો અંત આવશે. આ મારી પ્રભુ રામને પ્રાર્થના છે અને ભગવાન મારી પ્રર્થના જરૂર સાંભળશે. જો કે આટલું બોલ્યા બાદ તેમને પોતાની એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેમને ભગવાન રામ વિશેની કરેલી ટિપ્પણીઓ, ટીકાના કારણે તેમને વોટ મળશે કે નહિ તે બાબતથી તે ડરતા નથી.

ભગવાન રામ વિશે બોલતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે રામ જેટલા તમારા છે તેટલા અમારા છે. મેં એક પાકિસ્તાની વિદ્વાન દ્વારા કરાયેલો કુરાનનો અનુવાદ વાંચ્યો છે. તેમણે રામ વિશે વાત કરી છે અને કહ્યું કે રામ ઈચ્છે છે કે બધા લોકો ભાઈચારા અને પ્રેમથી આગળ વધે.

ફારૂક અબ્દુલ્લાએ મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે મહાત્મા ગાંધી ઘણીવાર કહેતા હતા કે તેઓ ભારતને ‘રામ રાજ્ય’ બનાવવા માંગે છે. અને એમાં કંઈ ખોટું નથી. આગળ વધવા માટે આપણે એકબીજા સાથે હાથ મિલાવવો પડશે. તેમજ ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના અબ્દુલ્લાએ કહ્યું હતું કે ચૂંટણી નજીક છે અને કેટલાક લોકો આવશે. તેઓ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને રામ મંદિરના નામે વોટ માંગશે. આ તે લોકો છે જે ધર્મ, જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજીત કરી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે. જનતાએ તેમનાથી સાવધાન રહેવું પડશે. તેઓ દેશને જોડવાનું કામ નથી કરી રહ્યા પરંતુ તેને તોડવાનું કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાવાનો છે. અયોધ્યામાં તેના માટે ખૂબજ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવવાના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…