Farmers Protest: ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની હાલત ગંભીર, ડોકટરોએ સરકારને ચેતવ્યા…

ચંદીગઢ : પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના ખેડૂતોની માંગ (Farmers Protest)બાબતે આમરણાંત ઉપવાસ 28માં દિવસે પણ ચાલુ છે. તેઓ પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર ઉપવાસ પર બેઠા છે. ત્યારે તેમની તપાસ કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે ખેડૂત નેતા દલ્લેવાલની(Jagjit Singh Dallewal)હાલત અત્યંત ગંભીર છે. તેમને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે. ડૉક્ટર સવેમાને પંજાબ સરકાર દ્વારા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સ્વાસ્થ્ય બાબતે સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવેલી વાતોને ખોટી ગણાવી છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ બન્યા NHRCના અધ્યક્ષ
પંજાબ સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે તે ખોટું છે
દલ્લેવાલની તપાસ કરી રહેલા ડોક્ટર સવેમાને કહ્યું કે પંજાબ સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે તે ખોટું છે. અમારી ટીમ લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. અમારી ટીમમાં નિષ્ણાત ડૉક્ટરો છે, જેઓ તેમનું નિયમિત ચેકઅપ કરી રહ્યા છે.
હાર્ટ એટેક આવવાની સંભાવના
ડૉક્ટર સવેમાને કહ્યું, ‘અમારું રૂટિન ચેકઅપ કહે છે કે તેમની તબિયત નાજુક છે. તેમને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે અને તેમનું મૃત્યુ થઈ શકે છે. સરકારે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ. આ સાથે ડોક્ટરે કહ્યું, અમે પોતે જ દલ્લેવાલને જલ્દી ઉપવાસ તોડવા માટે કહીએ છીએ, પરંતુ ખેડૂત આગેવાનો સહમત થવા તૈયાર નથી.
આ પણ વાંચો : Kolkata ના આરજી કર હોસ્પિટલ રેપ કેસમાં FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
24 કલાક મેડિકલ ટીમ તૈનાત
પટિયાલાના નાયબ કલેકટર પ્રીતિ યાદવ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ પાસે તેમની તબિયત વિશે જાણવા માટે પહોંચ્યા. દલ્લેવાલને જોયા પછી તેણે કહ્યું, ‘આજે અમે જગજીત સિંહ દલ્લેવાલની હાલત જાણવા ખાનોરી બોર્ડર પહોંચ્યા. દલ્લેવાલના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે. આ અંગે 24 કલાક મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યાં તેમની સતત તપાસ કરવામાં આવી રહી છે. તેને દવા લેવા માટે વિનંતી કરવામાં આવી છે.