નેશનલમનોરંજન

‘Emergencyને મળ્યું સેન્સર સર્ટિફિકેટ’ ટૂંક સમયમાં જાહેર થશે રીલીઝની નવી તારીખ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ઘણા સમયથી રીલીઝ થવાની ડેટની રાહ જોઇ રહી છે. કંગના લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ માટે લડત આપી રહી છે. જ્યારથી ‘ઇમરજન્સી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદનું કેન્દ્ર બન્યું હતું અને તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ફેન્સ માટે કંગનાએ એક મોટા અને સારા સમાચાર આપ્યા છે. કંગનાની ‘ઇમરજન્સી’ને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે.

કંગના રનૌતે કરી પોસ્ટ:
કંગના રનૌતે જ તેના X (Twitter) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કંગના રનૌતે ફેન્સને એક સારા સમાચાર આપ્યા છે કે ‘ઇમરજન્સી’ને લીલી ઝંડી મળી ગઈ છે. કંગનાએ X પર લખ્યું, તેમણે કહ્યું હતું કે “અમને જણાવતાં આનંદ થાય છે કે અમને અમારી મૂવી ઇમરજન્સી માટે સેન્સર પ્રમાણપત્ર મળ્યું છે, અમે ટૂંક સમયમાં રિલીઝ તારીખની જાહેરાત કરીશું. તમારી ધીરજ અને સમર્થન બદલ આભાર.” આ પોસ્ટમાં કંગનાની ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

શા કારણે ખડો થયો વિવાદ:
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેના રીલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે શીખ સંગઠનોએ તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવામાં આવી હતી. શીખ સંગઠનોએ આરોપ કર્યો હતો કે ફિલ્મની અંદર શીખ સમુદાયની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ખડો થયો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker