નેશનલ

એલ્ગાર પરિષદ કેસ: સુપ્રીમ કોર્ટે ગૌતમ નવલખાને જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસમાં કાર્યકર ગૌતમ નવલખાને જામીન આપ્યા છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને એસવીએન ભાટીની બેન્ચે આ કેસમાં નવલખાને આપવામાં આવેલા જામીન પર બોમ્બે હાઈ કોર્ટ દ્વારા લાદવામાં આવેલા સ્ટેને લંબાવવાનો ઇનકાર કર્યો હતો.

તેણે નવલખાને નજરકેદમાં સુરક્ષા માટેના ખર્ચ પેટે રૂ. ૨૦ લાખ ચૂકવવા પણ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે નવલખા ચાર વર્ષથી જેલમાં છે અને કેસમાં આરોપ ઘડવાના બાકી છે.


બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે ૧૯ ડિસેમ્બરના રોજ નવલખાને જામીન આપ્યા હતા પરંતુ એનઆઈએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે સમય માંગ્યા પછી ત્રણ અઠવાડિયા માટે તેના આદેશ પર રોક લગાવી દીધી હતી. ઓગસ્ટ ૨૦૧૮માં ધરપકડ કરાયેલા નવલખાને ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે નજરકેદમાં રાખવાની મંજૂરી આપી હતી. હાલ તેઓ નવી મુંબઈમાં રહે છે.


પોલીસે દાવો કર્યો હતો કે આ કેસ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પુણેમાં આયોજિત એલ્ગાર પરિષદ કોન્ક્લેવમાં કરવામાં આવેલા ભડકાઉ ભાષણો બાદ બીજા દિવસે પશ્ચિમ મહારાષ્ટ્ર માં કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારક નજીક હિંસા ભડકવા સંબંધિત છે. આ કેસમાં ૧૬ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાંથી પાંચ હાલ જામીન પર બહાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત