નેશનલ

Haryanaમાં ચૂંટણી પંચ કરશે EVMની તપાસ

નવી દિલ્હી: હરિયાણામાં બે લોકસભા બેઠકો પર EVM ચેક કરવામાં આવશે, જેને લઈને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામા આવેલી ફરિયાદના આધાર પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારને જીત મળી છે. કોંગ્રેસના ઉમેદવારોએ આ બબને બેઠકો પર EVMમાં છેડા થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને ચૂંટણી પંચે EVM ચેક કરવાની મંજૂરી આપી દીધી છે.

આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોએ કોંગ્રેસને હરાવીને વિજય મેળવ્યો હતો. ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પંચને પત્ર લખીને EVMમાં છેડછાડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ બાદ ચૂંટણી પંચે બન્ને લોકસભા ક્ષેત્રના EVMની તપાસ કરવાની પરવાનગી આપી છે.

આ પણ વાંચો : EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”

આ બન્ને બેઠકોમાં કરનાલ અને ફરીદાબાદનો સમાવેશ થાય છે. કરનાલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિવ્યાયાંશુ બુદ્ધિરાજા અને ફરીદાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રપ્રતાપ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચે આ બાબતે પ્રેસ રિલીઝ કરીને કહ્યું હતું કે હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ બેઠકો પરથી EVM ચેકિંગ માટેની અરજી મળી છે.

જો કે આ તપાસમાં માત્ર 6 મતદાન બૂથોની તપાસ કરવામાં આવનાર છે. જેમાં પાણીપતના 2, કરનાલની 2 અને બડકલના 2 બુથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે કરનાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનોહરલાલ અને ફરીદાબાદ બેઠકપરથી કૃષ્ણલાલ જીત્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો