નેશનલ

સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી: MUDA મામલામાં મુખ્ય પ્રધાન સામે EDએ નોંધ્યો કેસ…

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કર્યો છે. ગયા સપ્તાહે જ કર્ણાટકના લોકાયુક્તે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત છે. કોર્ટના આદેશ બાદ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Karnatakaના સીએમ સિદ્ધારમૈયાને આંચકો, જનપ્રતિનિધિ કોર્ટે FIR નોંધવા આદેશ આપ્યો

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પર MUDA દ્વારા તેમની પત્ની બીએમ પાર્વતીને 14 જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિ કર્યાના આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના પર આરોપ છે કે કર્ણાટકના મુખ્ય પ્રધાનની પત્નીને તમામ નિયમોની અવગણના કરીને 2011માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત રીતે 14 હાઉસિંગ સાઇટ્સ આપવામાં આવી હતી. રાજ્યમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સીએમ સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી રહી છે.

ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા ઉપરાંત અન્ય લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં સિદ્ધારમૈયાના પત્ની બીએમ પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી અને દેવરાજુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી મલ્લિકાર્જુન સ્વામીએ દેવરાજુ પાસેથી જમીન ખરીદીને પાર્વતીને આ જમીન ભેટમાં આપી હતી.

આ સમગ્ર મુદ્દે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું છે કે MUDA મામલે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે વિપક્ષ તેમનાથી ડરી ગયો છે. સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કહ્યું છે કે તપાસના આદેશ છતાં તેઓ મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ રાજીનામું આપશે નહીં કારણ કે તેમણે કોઈ ખોટું કર્યું નથી. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ આ કેસને કાયદાકીય લડત આપશે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા