ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

ઝારખંડમાં મંત્રીના પીએસ નોકરના ઘરે EDના દરોડા, 30 કરોડની રોકડ મળવાનો અંદાજ

રાંચી : દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તો બીજી તરફ ઝારખંડના (Jharkhand) રાંચીમાં (Ranchi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. ED એ ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોકડ રકમ 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો મેળવવામાં આવી રહ્યા છે. જેની બાદ તેની ગણતરી કરવામાં આવી રહી છે.

ED એ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે.રામ કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં કેસ કર્યો હતો.વીરેન્દ્ર કે.રામની ધરપકડ કરવામાં આવી હતી.

આલમગીરના ખાનગી સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા

EDનું માનવું છે કે આ કાળા નાણાંનો એક ભાગ છે. વાસ્તવમાં, ED 10,000 રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી હતી અને તે દરમિયાન, EDને કેટલીક એવી લિંક્સ મળી હતી જે મંત્રી સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું હતું. EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી, EDએ આલમગીરના ખાનગી સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાં આટલી રોકડ જોઈને દંગ રહી ગઇ

ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ

થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી પહોંચી જશે. આખી ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ છે.

કોંગ્રેસના સાંસદના ઘરેથી 350 કરોડથી વધુની રોકડ મળી આવી હતી

આ પૂર્વે ગત વર્ષે ડિસેમ્બરમાં પણ ઝારખંડમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આઈટીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુના પરિસરમાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ રિકવર કરી હતી. તેના જવાબમાં તેણે કહ્યું કે દરોડામાં જે રોકડ મળી છે તે મારી દારૂની કંપનીઓની છે. દારૂનો ધંધો માત્ર રોકડમાં થાય છે અને તેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

જ્યારે આલમગીરે સાહુનો બચાવ કર્યો હતો

ત્યારે ભાજપના ધારાસભ્યોએ કહ્યું હતું કે ધીરજ સાહુએ ઝારખંડના સંશાધનોનું શોષણ કરીને અને ગરીબોના અધિકારોનું ઉલ્લંઘન કરીને આ સંપત્તિ એકઠી કરી હતી. ભાજપના ધારાસભ્યો ગળામાં પ્લેકાર્ડ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા. જેના પર લખ્યું હતું કે કોંગ્રેસનું કાળું સામ્રાજ્ય છે. ત્યારે આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કર્યો હતો. આલમગીરે ધીરજ સાહુનો બચાવ કરતા કહ્યું કે આ વિધાનસભાની વાત નથી. ભાજપ પોતાની રાજનીતિ ચમકાવવા માટે વિધાનસભાનો એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહી છે જે યોગ્ય નથી. આઈટીએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

કોણ છે આલમગીર આલમ ?

આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં રાજ્ય સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006 થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. રાજકીય વારસો મેળવ્યા બાદ આલમગીરે સરપંચની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2000માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…