ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં મોટી દુર્ઘટના, દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ, 2 મહિલા, બાળક સહિત 3ના મોત

પટણાઃ નવરાત્રીના અંતિમ દિવસે એટલે કે નવમીના દિવસે દુર્ગા પૂજા પંડાલોની સાથે દેવી મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન બિહારમાં એક દુઃખદ બનાવ હન્યો હતો. અહીં ગોપાલગંજમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ મચી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. બિહાર પોલીસે નાસભાગનું કારણ વિશાળ ભીડને ટાંક્યું છે. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે નાસભાગને કારણે મૃત્યુ પામેલાઓમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રેલ્વે સ્ટેશન રોડ પર સ્થિત રાજા દળ પૂજા પંડાલ પાસે થયો હતો. જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં બે મહિલાઓ અને એક બાળકના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને ઘટના સ્થળથી માત્ર 200 મીટર દૂર સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સદર હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં બધાના મોત થઈ ચૂક્યા હતા. અહેવાલો અનુસાર, અકસ્માતમાં એક ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ગા પૂજા દેશભરમાં ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ માતાના દરબારો શણગારવામાં આવે છે. ભક્તો સવાર-સાંજ તેમની આરતીમાં હાજરી આપીને માતાના આશીર્વાદ લઈ રહ્યા છે અને તેમના પરિવારો પર માતાના આશીર્વાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, સોમવારે સાંજે ગોપાલગંજના દુર્ગા પૂજા પંડાલમાં ખુશીના બદલે શોકનું વાતાવરણ હતું. ગોપાલગંજના રાજા દલ પંડાલમાં મેળાને જોવા લોકોની મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો