કૈલાશ માનસરોવર યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને મળશે રૂપિયા, જાણો નવી જાહેરાત?

લખનઉઃ હિંદુઓમાં યાત્રા કરવાનું મહત્વ વધુ હોય છે. કોઈ માનતા માની હોવાથી યાત્રા કરવા માટે જાય છે તો મનની શાંતિ માટે યાત્રા કરવા માટે જાય છે. એક સમય હતો કે, જ્યારે મોટા ભાગે મોટી ઉંમરના લોકો યાત્રા કરવા માટે જતા હતા, પરંતુ હવે યુવાનોમાં પણ યાત્રાએ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે જે લોકો કૈલાશ માનસરોવરની યાત્રા (Kailash mansarovar yatra)એ જવાનું વિચારી રહ્યાં છે, તેમના માટે ખુશીના સમાચાર આવ્યાં છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા લોકો માટે ખાસ જાહેરાત કરી છે.
કૈલાશ માનસરોવરની યાત્રા માટે સરકાર આપશે રૂપિયા
કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા યાત્રીઓ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આની સત્તાવાર જાહેરાત ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન પ્રધાન જયવીર સિંહે આપી છે. જેથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જવું હવે સરળ થશે. શ્રદ્ધાળુઓની યાત્રા માટે હવે સરકાર સામેથી સહાય કરશે.
આ પણ વાંચો - કેદારનાથની યાત્રામાં વરસાદ બન્યો વિઘ્ન, ભૂસ્ખલન થતા એકનું મોત, યાત્રા સ્થગિત કરાઈ
કૈલાશ માનસરોવરની યાત્રીને યુપી સરકાર લાખ આપશે
મહત્વની વાત એ છે કે, આ જાહેરાત દરેક શ્રદ્ધાળુઓ માટે નથી. ઉત્તર પ્રદેશના પ્રવાસન પ્રધાન જયવીર સિંહે આગરા ખાતે સર્કિટ હાઉસમાં ખાસ બેઠક કરીને આ યોજનાની સમીક્ષા કરી હતી. જયવીર સિંહે કહ્યું કે કૈલાશ માનસરોવરની યાત્રા કરીને પાછા ફરનારા ઉત્તર પ્રદેશના યાત્રાળુઓને સરકાર દ્વારા 1 લાખ રૂપિયા આપવામાં આવશે, જે કોઈ વ્યક્તિ કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરીને આવશે તેના ખાતામાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક લાખ આપવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા જયવીર સિંહે જણાવ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા માટે પહેલા 50 શ્રદ્ધાળુ નીકળી ગયાં છે.