Delhi metro station collapse: દિલ્હીમાં મેટ્રો સ્ટેશનનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, ચાર ઘાયલ
![Delhi metro station collapse](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Dhiraj-2024-02-08T160901.594.jpg)
દિલ્હી: આજે સવારે દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થઇ જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો સ્ટેશન પરથી સિમેન્ટ અને સ્ટીલનો કાટમાળ પડવાને કારણે એક બાઈક સવાર વ્યક્તિનું મોત થયું છે જયારે ચાર ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે કેટલીક બાઇક પણ દટાઇ ગઇ છે, જેને બહાર કાઢવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ કરાવલ નગરના રહેવાસી 53 વર્ષીય વિનોદ કુમાર તરીકે થઈ છે.
ફાયર વિભગના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને બચાવ્યા અને તેમને જીટીબી હોસ્પિટલ લઈ ગયા. અન્ય બે વ્યક્તિઓને બચાવ ટીમના આગમન પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં કેટલીક બાઇકને પણ નુકસાન થયું હતું. ગોકુલપુરી બચાવ દળના એક યુનિટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે કારણ કે સ્લેબનો એક ભાગ હજુ પણ ત્યાં લટકી રહ્યો છે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ જણાવ્યું કે, એક મેનેજર અને એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૃતકના પરિવાર માટે ₹25 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી મેટ્રોએ પણ સામાન્ય ઈજાઓ માટે ₹1 લાખ અને ગંભીર ઈજાઓ માટે ₹5 લાખની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર ફરતી વિડિયો ક્લિપ્સમાં પોલીસને પતનની જગ્યાએથી કાટમાળ હટાવવામાં આવ્યો હતો. ડીએમઆરસીએ જણાવ્યું હતું કે, એક કલાકમાં રોડ પરથી કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરતી વિડિયો ક્લિપ્સમાં જોઈ શકાય છે કે અધિકારીઓ દુર્ઘટનાની જગ્યાએથી કાટમાળ હટાવી રહ્યા છે. એક કલાકમાં રોડ પરથી કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે, વધુ તપાસ ચાલુ છે.