દિલ્હીની આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે કન્હૈયા કુમાર, ભાજપના મનોજ તિવારીને ટક્કર આપી શકશે?

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કન્હૈયા કુમારને દિલ્હીની નોર્થ ઈસ્ટ સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આજે યોજાનારી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં તેમના નામ પર અંતિમ મંજૂરી લેવામાં આવી શકે છે. જો કન્હૈયાને નોર્થ ઈસ્ટર્ન સીટ પરથી ટિકિટ મળે છે તો તેમની ટક્કર ભાજપના ઉમેદવાર મનોજ તિવારી સાથે થશે. મનોજ તિવારી 2014 અને 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.
2019ની લોકસભા ચૂંટણીમાં કન્હૈયા કુમારે બિહારની બેગુસરાઈ બેઠક પરથી ડાબેરીઓની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, તેમને ભાજપના અગ્રણી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. કન્હૈયા કુમાર સપ્ટેમ્બર 2021માં ડાબેરીઓને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી, તેઓ સતત જાહેર મંચો પર કોંગ્રેસને સમર્થન આપતા જોવા મળે છે.
ALSO READ : શિંદે દ્વારા નવા ઉમેદવારો પર પસંદગીનો કળશ
આજે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર થયા બાદ કન્હૈયા કુમારે કહ્યું કે અમે 140 કરોડ લોકોને અભિનંદન આપીએ છીએ કે તમે ન્યાયનો અવાજ છો, કોંગ્રેસે ન્યાયના તે અવાજને સંકલ્પના રૂપમાં લીધો છે. એટલા માટે કોંગ્રેસના મેનિફેસ્ટોને ન્યાય પત્ર નામ આપવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2015 માં, કન્હૈયા કુમાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા, ત્યારે તેઓ તેમના ભાષણોને કારણે ચર્ચામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. દિલ્હી 7 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જો કે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી.