ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક લોકો દટાયા, 6 લોકોનું રેસ્ક્યુ,

નવી દિલ્હીઃ દિલ્હીના વેલકમ વિસ્તારામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે 12 લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ અને એનડીએરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે સુધીમાં કુલ છ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજી પણ પાંચ લોકો નીચે દટાયેલા હોવાની આશંકા છે.

ઇમારત ખૂબ જ જર્જરિત દુર્ઘટના બની હોવાનું અનુમાન

હાલમાં ઘટનાસ્થળે 7 ફાયર એન્જિન અને પોલીસ ટીમો બચાવ અને રાહત કાર્યમાં કરી રહી છે. આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોના રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકો કાટમાળ દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. સીલમપુરમાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો કાટમાળ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે અત્યાર સુઘીમાં જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

આ પહેલા પણ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 4 માળની ઇમારત ધરાશીયી થઈ હતી

વધારે વિગતે વાત કરીએ તો આ પહેલા પણ એપ્રિલમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં ડઝનબંધ લોકો કાટમાળ નીચે ફસાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માત દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં બન્યો હતો. વેલકમ વિસ્તાર ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો છે અને સાંકડી શેરીઓ છે, તેથી બચાવ કામગીરી મુશ્કેલઓ આવી રહી છે. તેમ છતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button