ટોપ ન્યૂઝનેશનલ

Delhi Coaching center incident: ઘટના નવો VIDEO સામે આવ્યો, વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાંથી બહાર નીકળતા દેખાયા

નવી દિલ્હી: શનિવારે સાંજે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તાર(Old Rajendranagar of Delhi)માં આવેલા કોચિંગ સેન્ટરમાં બનેલી દુર્ઘટનાને કારણે ત્રણ UPSC એસ્પીરંટના મોત નિપજ્યા હતા, જેને કારણે પબ્લિક સેફટી અંગે ફરી દેશભરમાં ચર્ચા શરુ થઇ છે. બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાવાને કારણે આ અકસ્માત થયો હતો. હવે આ ઘટના સાથે જોડાયેલો એક નવો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ભોંયરામાં પાણી ભરાઈ રહ્યું છે અને કેટલાક વિદ્યાર્થીઓ તેમાંથી બહાર આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. વીડિયોમાં કોઈ બૂમો પાડી રહ્યું છે કે ઝડપથી ભોંયરામાંથી બહાર નીકળો. વિડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાય છે, જે વારંવાર તમામ વિદ્યાર્થીઓને ઝડપથી બહાર નીકળવા અને નીચે કોઈ બાકી છે કે નહીં તે જોવા માટે કહી રહ્યો છે.

ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બનેલા બનાવ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ હવે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કોચિંગ સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં અત્યાર સુધીમાં દિલ્હીમાં અલગ-અલગ સ્થળોએ બેઝમેન્ટમાં ચાલતા 13 કોચિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના દુઃખદ મૃત્યુ અંગે રાવ IAS સ્ટડી સર્કલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોચિંગ સંસ્થાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃત વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કોચિંગ સંસ્થાએ ત્રણેય વિદ્યાર્થીઓ માટે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખની ઘડીમાં તેમના પરિવારની સાથે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…