ટોપ ન્યૂઝનેશનલ

કેજરીવાલની કેબિનેટમાં મોટો ફેરફાર, સૌરભ ભારદ્વાજ અને આતિશીના પોર્ટફોલિયોની અદલાબદલી

નવી દિલ્હીઃ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આતિશી અને સૌરભ ભારદ્વાજના પોર્ટફોલિયોની અદલાબદલી કરવામાં આવી છે. જળ વિભાગની જવાબદારી સૌરભ ભારદ્વાજ પાસેથી લઇ લેવામાં આવી છે અને હવે આતિશીને સોંપવામાં આવી છે. આતિશી પાસે શિક્ષણ મંત્રાલયની જવાબદારી પણ છે. દિલ્હીની કેજરીવાલ સરકારે માર્ચ મહિનામાં પૂર્વ ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાને કારણે આતિશી અને સૌરભ ભારદ્વાજને મંત્રી બનાવ્યા હતા.

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા સૌરભ ભારદ્વાજને હવે પર્યટન, કલા અને સંસ્કૃતિ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. અગાઉ આ મંત્રાલય આતિશી પાસે હતું. આ ફેરબદલ સાથે, સૌરભ ભારદ્વાજ પાસે હવે આરોગ્ય ઉદ્યોગ સિવાય શહેરી વિકાસ, પ્રવાસન અને કલા સંસ્કૃતિના વિભાગો છે. અધિકારીઓએ જણાવ્યું કે એલજી વીકે સક્સેના દ્વારા કેબિનેટ ફેરબદલને મંજૂરી આપવામાં આવી છે.


દિલ્હી કેબિનેટમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપરાંત છ વધુ મંત્રીઓ છે. જેમાં ગોપાલ રાય, ઈમરાન હુસૈન, કૈલાશ ગેહલોત, રાજ કુમાર આનંદ, સૌરભ ભારદ્વાજ અને આતિશીનો સમાવેશ થાય છે.


નોંધનીય છે કે કેજરીવાલ સરકારમાં મંત્રી રહી ચૂકેલા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન બંને હાલમાં તિહાર જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા આ વર્ષે 26 ફેબ્રુઆરીએ દિલ્હીના લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, 9 માર્ચે, આ જ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હી સરકારના અન્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો