દિલ્હી એરપોર્ટ પરથી ત્રણ મહિના માટે 114 ફલાઇટ રદ, જાણો કારણ

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના સંચાલન મુદ્દે નવી અપડેટ આવી છે. જેમાં આગામી ત્રણ મહિના માટે દિલ્હી એરપોર્ટ પરથી 114 ફ્લાઇટસ રદ કરવામાં આવી છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના જણાવ્યા અનુસાર રદ કરાયેલ ફ્લાઇટ્સની સંખ્યા કુલ દૈનિક ફ્લાઇટ્સના 7.5 ટકા છે. એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા અનુસાર
રનવે મેન્ટેનશન કાર્યો માટે રનવે બંધ હોવાને કારણે 15 જૂનથી ત્રણ મહિના માટે 114 ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે.
રનવે પર કામ કરવામાં આવશે
જેમાં દિલ્હી એરપોર્ટ પર રનવે RW 10/28 ને સુધારવાનું કામ હવે 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. રનવે પર વિમાનોની વધુ અવરજવરને કારણે આ કામ મે મહિનામાં મુલતવી રાખવામાં આવ્યું હતું. રનવે CAT-III ને અનુરૂપ બનાવવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) ને અપગ્રેડ કરવામાં આવશે. જે ધુમ્મસ દરમિયાન લો0 વિઝિબીલીટી ફ્લાઇટમાં કામગીરી શક્ય બનાવશે.
ટર્મિનલ T2 હાલમાં જાળવણી કાર્ય માટે બંધ
દેશના સૌથી મોટા અને વ્યસ્ત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર દરરોજ લગભગ 1,450 ફ્લાઇટ્સ કાર્યરત છે. એરપોર્ટ પાસે ચાર રનવે છે – RW09/27, RW11R/29L, RW11L/29R અને RW10/28 – અને બે ઓપરેશનલ ટર્મિનલ- T1 અને T3.ટર્મિનલ T2 હાલમાં જાળવણી કાર્ય માટે બંધ છે.
રન-વે પર થતી સમસ્યાથી છૂટકારો મળશે
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી વિદેહ કુમાર જયપુરિયારે શુક્રવારે જણાવ્યું હતું કે RW10/28 15જૂનથી ત્રણ મહિના માટે કાર્યરત રહેશે નહીં. જયપુરિયારે કહ્યું, અમે તે રન-વેને સુધારવા માંગીએ છીએ જેથી અમને આવનારી કોઈપણ સમસ્યાથી છુટકારો મળી શકે. ખાસ કરીને ધુમ્મસ દરમિયાન રન-વે પર થતી સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
આ પણ વાંચો….જમ્મુ- દિલ્હી ફલાઇટ અચાનક જયપુર ડાયવર્ટ કરાઇ, સીએમ ઓમર અબ્દુલ્લા નારાજ થયા શેર કરી સેલ્ફી