નેશનલ

બિહારની આ 10 સીટો પર કોંગ્રેસે કર્યો દાવો, ‘INDIA Alliance’માં સીટ વહેંચણીનો મુદ્દો ગુંચવાતો જાય છે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને વિપક્ષી ગઠબંધનમાં સીટની વહેંચણીની કવાયત પણ વેગ પકડી રહી છે. દિલ્હીમાં સીટ શેરિંગ અંગે મંથનનો ચાલી રહ્યું છે. હાલમાં તો બિહાર જેવા રાજ્યોમાં બેઠકોનો પ્રશ્ન કેવી રીતે ઉકેલાશે તેના પર સહુની નજર ટકેલી છે. અલગ-અલગ રાજ્યોમાં લોકસભા સીટો અંગે કોંગ્રેસ પોતાના દાવાઓ કરે છે. બિહારમાં કોંગ્રેસ દ્વારા જે બેઠકોનો દાવો કરવામાં આવ્યો છે તે જોતા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવ અને નીતીશ કુમારની સહમતિ વિના બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાય તેમ લાગતું નથી.

બિહારમાં લોકસભા સીટોની વહેંચણીને લઈને રવિવારે દિલ્હીમાં કોંગ્રેસ અને આરજેડી નેતાઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરજેડી તરફથી સાંસદ મનોજ ઝાએ ભાગ લીધો હતો. મનોજ ઝાએ મુકુલ વાસનિકના ઘરે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી હતી. આ બેઠક બાદ મનોજ ઝાએ ઈશારામાં સંકેત આપ્યા હતા કે વાતચીત ફળદાયી રહી છે, પરંતુ હવે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ બિહારની 40 લોકસભા બેઠકોમાંથી 10 બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે તે 10 લોકસભા સીટોની યાદી પણ આરજેડીને સોંપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરજેડી હવે આ અંગે જેડીયુ સાથે વાત કરશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે જે 10 લોકસભા સીટો પર દાવો કર્યો છે તેમાં કિશનગંજ અને કટિહાર તેમજ સાસારામ, સુપૌલ, પૂર્ણિયા, સમસ્તીપુર સીટોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે ઔરંગાબાદ, મધુબની, નવાદા અને બેતિયા લોકસભા સીટો પર પણ દાવો કર્યો છે. જેમાં કેટલીક બેઠકો પર ભારે દ્વિધા છે. RJD અને JDU, ભારત ગઠબંધનના બંને મુખ્ય ઘટક, પણ કટિહાર લોકસભા બેઠક પર દાવો કરી રહ્યા છે. હાલ આ સીટ જેડીયુ પાસે છે. નવાદા, મધુબની અને ઔરંગાબાદ સીટો પર પણ આ જ સ્થિતિ છે. તેથઈ હવે સવાલ એ છે કે શું RJD અને JDU પણ બેતિયા બેઠક પર કોંગ્રેસનો દાવો સ્વીકારશે? જોકે, આ બાબતે શંકા છે.


જે સીટો પર કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, એની યાદી હવે આરજેડી તેના સહયોગી પક્ષ જોડીયુ સાથે શેર કરશે. જેડીયુ-આરજેડી પોતાની વચ્ચે વાતચીતની સાથે કોંગ્રેસ દ્વારા દાવો કરાયેલી સીટોને લઈને ડાબેરી પક્ષો સાથે પણ વાત કરશે. જેડીયુ પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે અમે સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે સીધી વાતચીત નહીં કરીએ.


મતલબ કે બિહારમાં આરજેડીએ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો તેમજ જેડીયુ સાથે વાત કરવી પડશે. JDUના વરિષ્ઠ નેતા અને નીતીશ કેબિનેટમાં મંત્રી સંજય ઝાએ ત્રણ દિવસ પહેલા આ વાત સ્પષ્ટ કરી હતી. નીતીશ કુમાર પહેલા પણ કહી ચુક્યા છે કે સીટ વહેંચણી પર અંતિમ વાટાઘાટો જાન્યુઆરી સુધીમાં થવી જોઈએ. જેડીયુ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે સીટોની વહેંચણીમાં પહેલેથી જ મોડું થઈ ગયું છે અને તેને હજી પણ લોકસભાની ચૂંટણી સુધી લંબાવવુ સારું રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ દ્વારા દાવો કરાયેલી સીટો પર RJD JDU સાથે ક્યારે વાતચીત કરશે તેના પર તમામની નજર છે.


જેડીયુની પ્રાથમિકતા તેની 16 બેઠકો મેળવવાની છે, તો આરજેડી પણ 17 બેઠકોનો દાવો કરી રહી છે. હવે કોંગ્રેસે 10 બેઠકોનો દાવો કર્યો છે. ડાબેરી પક્ષો પણ અડધો ડઝન સીટોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં 40 બેઠકોની વહેંચણી કેવી રીતે થશે? લાલુ યાદવ, નીતીશ કુમાર અને કોંગ્રેસ નેતૃત્વ માટે પણ આ મોટો પડકાર હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing