CM નીતિશ કુમારની તબિયત બગડી, પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ
![who won jdu nitish kumar Bihar Floor Test Result tejasvi yadav rjd](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/1635012628_nitish-kumar-780x470.webp)
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની તબિયત શનિવારે અચાનક બગડી હતી. આ પછી તેમને પટણાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેમને હાથમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો. મેદાંતા હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો
શનિવારે સવારે સીએમ નીતીશ કુમારને અચાનક હાથમાં ભારે દુખાવો થવા લાગતા તેમને તરત જ પટનાની મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોની ટીમે તેમની તપાસ કરી હતી. નીતીશ કુમાર લાંબા સમયથી સતત ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હતા. એનએડીએના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે, તેમણે તેમની પાર્ટી જેડીયુ અને તેની કેન્દ્ર સરકારની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયગાળા દરમિયાન તેઓ ઘણી વખત દિલ્હી ગયા હતા. તેમણે 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં પણ ભાગ લીધો હતો.
દિલ્હીથી પટના પરત ફરેલા નીતીશ કુમારે શુક્રવારે જ કેબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકમાં સરકારી કર્મચારીઓના બેરોજગારી ભથ્થા અને આવાસ ભથ્થા સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. JDUએ 29 જૂને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. હાલમાં જ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમ નીતીશ કુમારની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા. આમ છતાં આખી ચૂંટણી દરમિયાન તેઓ એકદમ સક્રિય જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Narendra Modiના ચરણસ્પર્શ કર્યા નીતીશ કુમારે, Video Viral
હવે ચૂંટણી પૂરી થયા બાદ તેમણે સ્વાસ્થ્યની કાળજી લેવાનું શરૂ કર્યું છએ. એટલે જ તેમના સતત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે જ્યારે તેમના હાથમાં દુખાવો થયો, ત્યારે તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.