નેશનલ

LGએ ગંદકીને લઈને સવાલ ઉઠાવતા CM કેજરીવાલ લાલઘૂમઃ ‘તમે પોતે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છો’

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શબ્દ યુદ્ધ શરૂ થયું. આજે ઉપરાજ્યપાલે દિલ્હીના સંગમ વિહાર વિસ્તારની મુલાકાત લીધી અને થોડાક ઈશારામાં 9 વર્ષની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા.

લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને ઘેર્યા હતા. સીએમએ લખ્યું, ‘એલજી સાહેબ, હું તમારો આભારી છું કે તમે અમારી ખામીઓ દર્શાવી. આ પહેલા તમે કિરારી અને બુરારીની ખામીઓને પણ હાઇલાઇટ કરી હતી. હવે હું મુખ્ય સચિવને આદેશ આપી રહ્યો છું કે સાત દિવસમાં આ તમામ ક્ષેત્રોમાં આ બધી ખામીઓ દૂર કરી દે.”

LG પર વિપક્ષનું કામ કરવાનો આરોપ

અરવિંદ કેજરીવાલે લખ્યું, “તમે જે કામ કરી રહ્યા છો તે વિપક્ષે કરવું જોઈતું હતું. શાસક પક્ષની ખામીઓ દર્શાવવાનું વિપક્ષનું કામ છે. દુર્ભાગ્યવશ, આજે વિપક્ષ એટલે કે ભાજપના તમામ સાત સાંસદો રાજકારણમાંથી નિવૃત્તિ લેવામાં વ્યસ્ત છે. આઠ ધારાસભ્યો ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા છો. આ જ કારણ છે કે છેલ્લા 26 વર્ષથી દિલ્હીની સત્તા ભાજપથી દૂર છે. તેથી, મજબૂરીમાં, એલજીનો બંધારણીય હોદ્દો હોવા છતાં, તમારે વિપક્ષની ભૂમિકા ભજવવી પડેશે.

બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “તમે જે ખામીઓ દર્શાવી છે – જે અધિકારીઓએ આ કામ કરવાનું હતું અને તે કર્યું નથી તેમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. “services” અને “vigilance” તમારા અધિકાર ક્ષેત્રમાં આવે છે.” સીએમ કેજરીવાલે કહ્યું, “જો તે મારા હેઠળ હોત, તો હું આવા બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી હોત એટલું જ નહીં પરંતુ તેમની સામે એવી કાર્યવાહી પણ કરી હોત કે કોઈ અધિકારી આવી બેદરકારી કરવાની હિંમત ન કરે. મને આશા છે કે હું તમને વચન આપું છું કે તમે આ વિભાગોના સૌથી સિનિયર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરશો અને તેમને દાખલારૂપ સજા આપશો. 2 કરોડ દિલ્હીવાસીઓ તમારી કાર્યવાહીની રાહ જોશે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ પોતાના એક્સ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી અને બતાવ્યું હતું કે આ વિસ્તારમાં ખૂબ ગંદકી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું, “ગઈકાલે સ્થાનિક રહેવાસીઓની વિનંતી પર સંગમ વિહાર ગયો હતો. 9 વર્ષની મુશ્કેલીઓ છતાં આ વિસ્તારમાં રહેતા 20 લાખથી વધુ લોકો પ્રાથમિક જાહેર સુવિધાઓથી વંચિત છે અને નરકનું જીવન જીવવા મજબૂર છે. ત્યાં કોઈ રસ્તા નથી, ગટરો નથી, કચરાનો નિકાલ નથી.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning